________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
કાલનું ભાવિ જેઓ ભૂતકાળની ભુલ સુધારે છે તેઓ વર્તમાનકાળમાં પ્રાયઃ ભાવિકાસમાં પરિભ્રમણ કરાવે તેવી ભૂલ કરતાં નથી. અતએ ભવિષ્યકાળને સુધારવા તેઓ સમર્થ બને છે.
જેઓ વર્તમાનકાલ સુધારતા નથી તેઓને ભવિષ્યકાળ બગડે છે એટલે પરાધીનતામાં સપડાઈને અસહ્ય દુઃખને વેઠી તેમનું જીવન પૂરું કરે છે. આથી હે ભો! તમારે વર્તમાનકાલ સુધારવા સવિવેક કરે.
પશુ, પંખી, જલચર અને સ્થલચર તેમજ બેચરમાં અને માણસાઈ સહિત માણસનાં દીર્ઘદશી વિચાર વિવેક વગેરેને તફાવત છે. આ ફેરફાર હોવાથી માણસો પશુ-પંખી કહેવાતા નથી. તેઓ માણસાઈને મેળવી દિવ્યતાને વરે છે પણ જે માનવીમાં વિચાર-વિવેકનો અભાવ હોય તે પશુસમાન કહેવાય છે. માટે હે ભવ્ય માણસાઈને દીપાવવા તમે સવિવેક કરે.
કશું જ આશ્ચર્ય નથી અનાદિકાલની મહા વિડંબના તથા જન્મ–જરા મરણના સંકટોમાં પ્રતિબદ્ધ કરનાર મહાદિકને હઠાવનાર તથા મૂલમાંથી નાશ કરવા માટે તપ, જપ, ધ્યાન કરનાર મહાશય ! જગતના પ્રાણીઓની વિચિત્ર પરિસ્થિતિ જોઈને તું અચરજ. પામ નહિ.
For Private And Personal Use Only