________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ સાક્ષર કે રાક્ષસ? આબરૂ, પ્રસિધિ, પ્રતિષ્ઠા તેમજ સન્માન અને સત્કાર પ્રાપ્ત કરવા કેણ કેળવણી લેતું નથી? બધા જ લે છે. પરંતુ પ્રતિષ્ઠાને સ્થિર કરનાર તે જેઓ આત્મિક ગુણોને બરાબર જાણે છે તે જ શિક્ષિત કહેવાય.
જેઓ વિદ્વાન વૈજ્ઞાનિક પ્રસિદ્ધ થયેલ છે તે જે અન્ય દેશ, રાષ્ટ્રને ખુવાર કરનાર બને તે તેઓ મહા હિંસક બની માણસાઈને પણ ગુમાવી બેસે. સાક્ષરને બદલે તેઓ રાક્ષસ જેવા બને.
રાક્ષસ પાસે ઘણી વિદ્યાઓ હોય છે, પણ માણસાઈ હેતી નથી. તેથી તેમની વિદ્યા વિફળ બને છે. બીજાઓની મિત પડાવી લેતા તેઓ પોતે જ પતિત બને છે અને પાપની ગાંઠડી બાંધી દુર્ગતિમાં ફસાય છે.
સેવકની વ્યાખ્યા સારા સંસારનું હિત કરનાર સેવા કરનાર જે પિતાના સ્વાર્થને ત્યાગ કરે તે જ તે સાચી સેવા કરનાર કહેવાય. નિવાથી સેવક સત્ય પરમાર્થને સાધવા અધિકારી બને છે અને તે પૂજ્ય બને છે.
સ્વાર્થને સાધનાર જે પરમાર્થ સાધનાર બને તે જ પરમાર્થ સાધક બની શકે અન્યથા અનર્થકારક બને. કારણ કે સ્વાર્થમાં જ દગા પ્રપંચની જંજાળ રહેલી છે. તેમાં રાચી માચી રહેનાર પાથરેલી જાળમાં કડીયાની માફક પોતે જ સપડાઈને પીલાઈ મરે છે.
For Private And Personal Use Only