________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ લાજ છેડો ક્ષમાની શોભા વેર-વિરોધ, ઈર્ષા અદેખાઈ વગેરેને અંતઃકરણથી વિસરાવવામાં છે. બહારથી ફક્ત દેખાવ પૂરતી માફી માંગવાથી વિરેધ વગેરે ખસતાં નથી. માટે અંતઃકરણથી જ સામાની ક્ષમા માંગવી જોઈએ.
આનંદને પ્રગટભાવ ઈચ્છવામાં આવે પણ મનમાં થેડી પણ કડવાશ રહેલી હોય તો તે આનંદ ક્યાંથી પ્રગટ થાય? એ માટે તે મનમાંથી બધી જ કડવાશને દૂર ફગાવી દેવી જોઈએ. - ક્ષમા ન માંગવી અગર માંગવામાં લાજ શરમ રાખવી તે મેહ-મમતાના અંધકારમાં અથડાવા જેવું છે. જેનાથી ભય-દ્વેષાદિ દૂર ખસતાં હોય અને અંતે આનંદમાં રહેવાતું હોય તે પછી ક્ષમા માંગવામાં શરમ શાની રાખવી ?
તરસ લાગી હોય ને લાજ-શરમ રાખવામાં આવે તે? ક્યારેક મરણ પણ થાય એમ સમજીને મુસાફરીમાં તરસ લાગતા જરાય પણ લજવાયા વિના કે શરમ અનુભવ્યા વિના તમે પાણી માંગે છે ને તરસ છીપાવે છે તેથી શરીરને શાતા થાય છે. તે પ્રમાણે અનંતા ભવની પીડાને હઠાવનારને આનંદ આપનાર ક્ષમા માંગતા માનવીએ લાજ શરમ રાખવી ન જોઈએ,
For Private And Personal Use Only