________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર
તિ
ઝાંઝવાના જળ સુખ અને સ્વતંત્રતા દરેકને પ્રિય છે. તે માટે માનવી દરરોજ અનેક પ્રયત્ન કરે છે. પણ સાચું સુખ અને સાચી
સ્વતંત્રતાનું સાચું જ્ઞાન ન હોવાથી સુખને બદલે માનવીને દુખ અને સ્વતંત્રતાને બદલે પરતંત્રતા મળે છે.
કલ્પિત સુખને સુખ માની લેવાથી એ સુખ કેટલી શાતા આપી શકે? સત્ય સુખ માટે તે વિષમાં જે સુખની ભ્રમણું રહેલી છે તેને ત્યાગ કરવામાં આવે તે જ સત્ય સુખ અને સ્વતંત્રતા મળે.
વિષયે અને વિકારો સાથે સત્ય સુખને અનાદિ કાળથી વિરોધ રહેલ છે જ. તે વિરોધને દૂર કરવા માટે તમે કઈ ઉપાયે લીધા છે ખરા? જ્યાં સુધી એ ઉપાયે લેવામાં નહિ આવે ત્યાં સુધી સુખને બદલે દુઃખ પીડા અને ચિંતા જ રહેવાની.
- કલ્પિત સુખમાં વિકારો ભારેભાર રહેલાં છે. તે વિકારે મનના વિચારોને હઠાવીને ચિંતા-શેક સંતાપ વગેરે ઉત્પન્ન કરાવે છે ને માનવીની બેહાલ દશા કરે છે. આથી દરેક માનવીએ વિકારેને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ જેથી શરીર પણ નિરોગી બની રહે અને મોક્ષ માર્ગ તરફ ગમન કરવાની રૂચિ થાય.
For Private And Personal Use Only