________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
સાવધાન ! લૂંટારા આવે છે ઉન્માદ, વેર, વિરોધ, ઈર્ષ્યા તેમજ અદેખાઈમાણસને ઉન્માગે ચઢાવીને તેની શક્તિની ખુવારી કરે છે અને તેને ભ્રષ્ટ કરીને તેનું સર્વસ્વ લુંટી લે છે. એવાં દુષ્ટ લુંટારાઓથી સાવધ રહે. દેખતાં લુંટારાથી ઘણી સાવધાની રાખવામાં આવે છે તે પ્રમાણે અદશ્ય લૂંટારાઓને સૂક્ષ્મ નિરીક્ષણ કરીને તેને ઓળખશે તે લૂંટાઈ જવાને વખત આવશે નહિ. બહારની સાવધાનીથી સંપત્તિનું રક્ષણ કરવું તે સત્ય સાવધાની કહેવાય નહિ. આંતરિક લૂંટારા તમારા આત્માના ગુણેની લૂંટ કરવા કેવા દાવ પેચ રમે છે તે જાણશે ને તેનાથી સાવધ બનશે તે જ જ્ઞાની કહેવાશે.
સાધન શુદ્ધિ સારા સાધનોની ઉપેક્ષા કરવાથી ને ગમે તેવા સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરવાની અપેક્ષા રાખવાથી કે તેવા સાધનથી પ્રયત્ન કરવાથી સાધ્યની સિદ્ધિ થતી નથી.
બ્રહ્મચર્યની ભાવના રાખવાવાળે જે સ્ત્રીના સંગમાં રહે તે બ્રહ્મચર્ય પાળી શકે નહિ. તેના માટે તેણે વિકારો મનમાંથી દૂર કરવા જોઈએ તેમજ વિકારી વસ્તુઓ તેમજ સંગથી દૂર રહેવું જોઈએ તે જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે અન્યથા નહિ.
For Private And Personal Use Only