________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
વિષ્ટાના કીડા મક્ષ માર્ગની ઉપેક્ષા-અવગણના કરવાથી દુઃખમય સંસારને ત્યાગ થઈ શક્યું નથી. સંસાર માર્ગે ચાલતાં દુઃખ-પીડા વગેરેને કાયમ માટે દૂર કરવાને ઉપાય સૂઝતા નથી. અને કદાચ સૂઝે તે પણ પસંદ પડતું નથી. વિષ્ટાના કીડાને વિષ્ટા પસંદ પડે, ખારા પાણી પીનાર મચ્છને ખારું પાણી જ ગમે તેમ સંસારના વૈષયિક સુખમાં આસકતે ને વિષય વિકારે પસંદ પડે છે પરિણામે સંસારીને દુઃખ સહન કરવા પડે છે.
મનુષ્ય વિચાર-વિવેકના આધારે, મેક્ષની અપેક્ષા રાખી સંસારના વિકારે અને વાસનાઓને ત્યાગ કરવા માટે આત્મજ્ઞાન પૂર્વક વ્રત-તપ–જપ આદિ કરે તે જ સંસારના દુખ કંઈ હળવા બને. અન્યથા બીજો ઉપાય નથી.
કાલે શું થશે? વિલાસમાં ડૂબેલાંઓ ભવિષ્યમાં તેમની કેવી અવદશા થશે તેને વિચાર કરતાં નથી. પદય ખતમ થતાં વિલંબ થતું નથી. ને પાપદય આવતાં પણ વાર લાગતી નથી. પરિણામે પાદિય આવતાં તે પરત કરે છે ને શક્તિ હણાઈ ગઈ હોવાથી એ દુઃખમાં જ આયુષ્ય પૂરું કરે છે. - જ્યારે પુણ્યવતેને ભવિષ્યનું ભાન હોવાથી તે વિલાસમાં ડૂબતા નથી અને ધર્મ ઉપર પ્રેમ રાખે છે ને સુખે આયુષ્ય પૂરું કરે છે.
For Private And Personal Use Only