________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૫૩ જે એવું હોત નહિ તે જન્મ મરણની અસહ્ય યાતનાઓની પીડા રહેતી નહિ. પરંતુ આવા પ્રમાદથી–અદ્યતેથી ઉપરોક્ત અસહ્ય યાતના વધે છે વધેલી છે અને વધતી જાય છે. તેઓને ટાળવા માટે સંયમની સુંદર આરાધના અનંત જ્ઞાનીએએ ફરમાવેલ છે. તે મુજબ જે પંચાચારમાં પ્રેમ રાખવામાં આવે તે કઈ પ્રકારનું દુઃખ રહે નહિ અને સત્ય સુખ સ્વય હાજર થાય છે, અને વિકારી સુખે નાશ પામે છે.
ભકતની ભૂગોળ વિકારી સુખમાં વહાલ રાખનાર દેવ-ગુરુ અને ધર્મના ભકત કહેવાતા નથી.
સત્ય ભક્ત તે દેહ-ગેહ ધનાદિકની મમતાને ત્યાગ કરી પંચાચારમાં પ્રેમ રાખે છે. સાચા ભકતની પ્રસંગે કસોટી થાય છે. ત્યારે તેમાંથી તેઓ પાર ઉતરે છે. તમે પણ સાચા ભક્ત થવાની ભાવના રાખો.
ન્યાયના ત્રાજવે જેઓ અન્યજને ન્યાય આપે છે, પણ પિતે જ ન્યાય નીતિ મુજબનું જીવન ખાનગીમાં રાખતા નથી, તેઓ સાચા ન્યાયી કેવી રીતે ગણાય ?
જેઓ પોતે ન્યાયી અને પ્રમાણિક છે. તે જ સાચે ન્યાય આપી શકે છે. તેઓ જ ખરા ન્યાયી છે, ને તેમના ન્યાયની જ ખરી સાર્થકતા છે.
For Private And Personal Use Only