________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જયોતિ
૩૧ દુનિયામાં પરિભ્રમણ કરતી નજરને પાછી વાળી આત્મિક ગુણેમાં સ્થિર કરે ત્યારે જ, અત્યાર સુધી જગતમાં નજર રાખીને તમેએ શું પ્રાપ્ત કર્યું. કહો તે ખરા ? અને મેળવેલી વસ્તુઓ સાથે લઈને પરભવમાં કેણ ગયું? સાથે તો પુણ્ય-પાપના જે સ સ્કા પડયા છે. તેજ આવે છે દુન્યવી વસ્તુઓ તમારી હાંસી કરતી અહીં જ પડી રહે છે માટે સાથે આવે એવા શુભ સંસ્કાર હૈયામાં ખુબ ઠાંસી, ઠંસીને ભરે.
આનંદ-જ્ઞાન અને આત્મિક શ્રદ્ધા તે સવ વિપત્તિઓમાંથી સર્વ પ્રાણીઓને બચાવે છે રક્ષણ કરીને સન્માર્ગે લઈ જાય છે. અને જ્ઞાન-આનંદ દરેક પ્રાણુંઓને પસંદ પડે છે છતાં તેઓનું આલંબન કેમ કરતા નહી હોય? અને જયાં વિપત્તિઓ તથા વિડંબનાઓને પાર નથી ત્યાં ધસતા જાય છે ? કહેવું પડે છે કે, ભલે આનંદ વિગેરે પસંદ પડતા હોય, પરંતુ ના પસંદ જેવું છે. તે પ્રાણીઓ સાધન સામગ્રી મળતાં જે ઉન્માગે લીધે છે તેને બરાબર પીછાની નીતિ ન્યાયના સન્માર્ગે ચઢે તે સર્વત્ર આનંદ ભાસે અને પિતાની તથા પારકાની પણ ઉન્નતિ સાધી શકે. સર્વ જીવનની કલા જો કોઈ હોય તે સદાય આનંદમાં રહેવું દ્રષ–અદેખાઈ કદાપિ કરવી નહીં. સર્વ કાળમાં આનંદમાં રહેવું તે ઉત્તમોત્તમ કલા છે વળી ધર્મ કલા જે હોય તે કદાપિ સંકટ આવી શકે નહી. કારણ કે ધર્મની કલા કર્મને મને રાગદ્વેષ-મહાદિને દૂર હઠાવે. છે અને આત્મિક ગુણોમાં સ્થિર કરે છે.
For Private And Personal Use Only