________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ સાથે સાથે સગુણેને મેળવવા માટે પ્રયાસ કરે તેજ તમારે અહંકાર સાર્થકતા ધારણ કરશે. “બાપ અને દીકરો પોતાના ક્ષેત્રમાં પાકેલી જાર જેવાને ગયા. તેમાં કેટલાક કણસલાં નીચા નમી ગએલ છે. અને કેટલાક અક્કડ ઉભાં રહેલ છે. તે દેખીને દીકરે પીતાને કહે છે. કે આ બીચારા નમી ગએલા કણસલાં હલકા લાગે છે. અને ઉભા રહેલાને પગે લાગતા હોયની શું એમ માલુમ પડે છે. માટે ગરીબ જેવાં દેખાય છે. તેના પીતાએ કહ્યું- દીકરા ? તારું માનવું ભૂલ ભરેલું છે. જે નમી ગએલા છે. અને નમી રહેલા છે. તે માલ વિનાના નથી. પણ માલવાળા છે. તેથી નમી પડેલા છે સદ્દગુણઓને એ સ્વભાવ હોય છે કે નમ્રતા વિગેરેને ત્યાગ કરતા નથી. અને જે અક્કડ ઉભા રહેલા છે તે અહંકારી-અભિમાની પુરૂષની માફક માલવિના ગુણ વિહીન છે. તેમાં માલ કે સદ્દગુણ હોતું નથી. હે પુત્ર ત્યારે જે સદગુણી બનવું હોય તે ક્ષમા નમ્રતા વિગેરે ગુણેને ધારણ કરજે પણ અકકડ અભિમાની બનીશ નહી. ૬૮ દુન્યવી કલાઓ શિખવા માટે એકાગ્રતા રીતસર રાખવી પડે છે. તે આત્મકલા-જ્ઞાન માટે એકાગ્રતા સ્થિરતા માનસિક વૃતિની કરવી
પડે તેમાં નવાઈ નથી. એકાગ્રતા ધારણ કરીને સ્વાધીન કરેલી કલાની કદર, મહારાજા–શેઠીયા શ્રીમતિ કરે કે નહીં કરે પણ આત્મિક જ્ઞાનની કલા તો એવા પ્રકારની છે કે ત્યાં
લાભલા માનવીઓ નમી પડીને પ્રશંસા કરે છે. અને આત્મજ્ઞાનમાં રસ લેતાં રહે છે. માટે દુન્યવી કલાઓની સાથે
For Private And Personal Use Only