________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત અરે મહટા વન! તારૂ આવી બન્યું છે. રાજાએ તારા સર્વ વૃક્ષને કાપવા માટે લુહાર પાસે કુહાડા તૈયાર કરાવ્યા છે. માટે ચેતવું હોય તે ચેતી જા? વને કહ્યું ભલે રાજાએ કુહાડા તૈયાર કરાવ્યા પણું અમારા જાતિભાઈ ભેગા ભળ્યા નથી ત્યાં સુધી ચિન્તા કરવા જેવું નથી. આ માણસ સાંભળીને ચાલ્યા ગયા. ત્યાર બાદ સૂકા લાકડાનાં હાથા બનાવી કુહાડામાં લાગું કર્યાં. વનના વૃક્ષેને કાપવા માંડયા તે અવસરે પેલે માણસ ત્યાં આવી કહેવા લાગ્યા. અલ્યા તારા વૃક્ષો કપાય છે. તેને ઉપાય કર્યો કે નહી? મોટા વને કહ્યું કે હવે એકેય ઉપાય રહ્યો નથી. શુષ્ક પણ જાતિ ભાઈઓ ભેગા ભળ્યા છે.
હવે તે મારા વૃક્ષોને કાપી નાંખશે હવે મારું શું ચાલી શકે! આ મુજબ અદેખાઈને લઈને શત્રુના હાથા જ્યારે નજાતિ ભાઈએ બને ત્યાં જ્ઞાતિ-સમાજની દુર્દશા થાય. માટે અદેખાઈને તે પ્રથમ ત્યાગ કરવા લાયક માનવી જોઈએ જેથી ધાર્મિક ક્રિયાઓની સાથે માનવ ભવ પણ સફલ થાય. અદેખો માણસ બહારથી સારો દેખાય છે પણ હદચમાં હળાહળ ઝેરવેર વસેલું હોય છે કયારે તે બીજા પાસે નુકશાન કરાવશે અગર વેર વિરોધ કરાવશે તે કહી શકાય નહીં. માટે અદેખાઈથી બહુ સાવધ રહેવાની જરૂર છે. માયા–મમતા-અભિમાન વિગેરેને જે આપણે ત્યાગ કરીયે તે કઈ પણ આપણું ઉપર અદેખાઈ કરે નહિ. એટલે ઈષ્યઅદેખાઈને ત્યાગ કરવાને સાચો ઉપાય જે કઈ હોય તે
For Private And Personal Use Only