________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ અહાર આવીને પુછયું. તમે કેમ છો? આવેલ મુસાફરોએ કહ્યું. પાસેના ગામના અમે રહીશ છીએ અને પરગામથી આવતા માર્ગમાં ભૂલા પડવાથી ઘણું મોડું થયું. તેથી તમારી પાસે આવ્યા છીએ, બાવાજીએ તે બેને ઝુંપડીમાં લાવી તેઓને ભૂખ લાગેલી હોવાથી તે રડે આપેલા ચાર લાડુને ખાવા માટે આપ્યા. આ બે જણ લાડુ ખાઈ પાણી પીને સૂઈ ગયા. સવારમાં મરણ પામેલ હોવાથી આવે ગભરાયા પાસેના ગામમાં જઈ લેકને લાવી, સઘળી વાત કહી. લેકેએ કહ્યું કે, જે લાડુ ખાવા માટે આપ્યા તેમાં વિષ હેવું જોઈએ. નહીતર મરણ પામે નહી.
બાવાજીએ કહ્યું કે, અમુક શેરીમાં અમુક ખાઈએ મહને ભીક્ષામાં આપ્યા હતા. શારૂ થયું કે મેં ખાધા નહી. નહી તે આ બે માણસની માફક મરણ થાત, આ રાંડને પણ ખબર પડી કે, લાડુઓના ખાવાથી બે મુસાફરો તેની ઝુપડીમાં આવેલા મરણ પામ્યા. અને બાવાજી બચી ગયા. તે જાવાને માટે બાવાજીની ઝુપડીમાં આવી. પિતાને પતિ અને પુત્ર મરણ પામેલ દેખી છાતી કુટવા લાગી. અને ઘેર આવી શક સંતાપ કરવા લાગી. પતિ અને પુત્ર મરી ગએલ હોવાથી. અને આવક ન હોવાથી ભીખારી બની. અને છેવટે ભીખ માગવા લાગી. બાવાજીને મારવા માટે જે દગો કર્યો તે તેણેને જ નડો માટે દગો કરે નહી. સદાચાર પાળીને સદ્ગતિને પ્રાપ્ત કરશે.
કઈ પણ પ્રાણુઓનું અહિત ચિત્તવવું નહી.
For Private And Personal Use Only