SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે પ્રકારે છે. એક બાહ્ય દેખીતી વસ્તુઓને ત્યાગ અને બીજો વિષય કષાયને ત્યાગ અથવા તેનાથી ઉત્પન્ન થતાં વિકારને ત્યાગ. આ પણ ત્યાગ જ છે અને બાહ્ય વસ્તુઓ કરતાં પણ વિષયકષાયના વિકારોને તથા તેની આસક્તિને ત્યાગ આત્માની શક્તિને વધારે બલવતી બનાવે છે અને બાહ્ય ત્યાગ કરતાં આન્તરિક એટલે વિષય કષાયને ત્યાગ મેક્ષના અનંત સુખને આપે છે. આવા ત્યાગ સિવાય બાહ્ય ત્યાગ, મમતા, અહંકાર, આસક્તિને દુર કરવામાં સમર્થ બનતું નથી; અહંકારથીહરિફાઈથી તેમજ જગતમાં પ્રસિદ્ધ થવા માટે બાહ્ય ત્યાગ થાય છે પણ આન્તર-અહંકારાદિકનો ત્યાગ બની શકતા નથી. બાહાને ત્યાગ, જે સમ્યગૂજ્ઞાન, વિચાર અને વિવેક ન હોય તે તે દુન્યવી આ લેકની અને પરલોકની સુખની અભિલાષાઓમાં ચાલ્યું જાય છેએટલે મમતા આસક્તિ વિગેરે અ૫ થતાં નથી. ત્યાગથી દુન્યવી પદાર્થો મળે તે પણ જ્યાં સુધી વિષયકષાયને ત્યાગ નથી ત્યાં સુધી સત્યસુખને લેશ પણ મળી શકતે નથી. સાપ બહારની કાંચળીને ત્યાગ કરીને નિર્વિષ બનતે નથી, અન્તરની વિષની કથળી જ્યારે દૂર થાય ત્યારે જ નિર્વિષ બને છે. તે પ્રમાણે આતરિક વિષય કષાયના જે વિકા વિષ કરતાં પણ અત્યંત દુઃખદાયી છે, તેને ત્યારે ત્યાગ થાય ત્યારે સત્ય સુખ, શાંતિ, સાચો અનુભવ આવે અને આત્મા નિર્વિકારી બની અવિનાશી અને એટલે માત્ર બહારને ત્યાગ દૂર કરવા જેવું નથી. પણ તેની સાથે સાથે આન્તરિક વિકારોને ત્યાગ કરવાની આવશ્યકતા છે. બાહ્ય વસ્તુઓને અભાવ હોય, તેથી ત્યાગ કરી શકતા ન હ તેથી ચિન્તાતુર For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy