SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન આકાશ પાતાલમાં ભમે છે પણ તેમાં હોય તે મને ! છે નહી તે મળે કયાંથી? સિદ્ધભગવાનને કર્મો ન હોવાથી, શરીરે પાંચમાંથી એકેય હોય નહી, તેઓ સંપૂર્ણ ચેતનમય આનંદઘન-કવરૂપ હોય છે, તેમજ પાંચેય શરીરમાંથી એકેય શરીર નહી હોવાથી જન્મ, જરા અને મૃત્યુની યાતનાઓ, વિડંબનાઓ તેમજ વિપત્તિઓ પણ કયાંથી હોય ? જન્માદિકની સાથે અનાદિકાલીન વળગેલ, આધિ, વ્યાધિ અને ઉપાધિના દુખે પણ હાય નહી; અને અનંત સુખમાં સર્વથા-સર્વદા અને સર્વત્ર ઝીલતા હોય છે; આવા સુખની ચાહના કરનાર પ્રથમ કર્મોને આવવાના દ્વારે બંધ કરવા સારી રીતે પ્રયાસ કરે જોઈએ અને કર્મોના દ્વારેનાં બારણા બંધ કર્યા પછી સત્તામાં રહેલા કર્મોને દૂર કરવા આત્મબલને ફેરવવું જોઈએ. અને કર્મોના ઉદયને વિલ કરવા માટે સમત્વને ધારણ કરવું તે સારો ઉપાય છે, જડ વસ્તુઓમાં ચેતના હોતી નથી એટલે નિર્જીવ તે હોય છે, જડચેતનમય આપણે છીએ. જ્યાં સુધી આત્મા સાથે જડ કને સંબંધ છે ત્યાં સુધી નિર્ભેળ સત્યસુખ કદાપિ મળતું નથી. મળેલ નથી અને મળશે પણ નહી જ; માટે સુખ મેળવવા કયાં ડધામ કરશે? વિષય કષાયોને સેવી કમેના દઢ બંધને કેમ બંધાઓ છો? અપરાધ કરીને પાપસ્થાનકેને સેવી ચાર ગતિમાં રાશી લાખ યોનિઓમાં જન્મ–જરા-મરણના અનંત દુઃખેને કેમ પુનઃ પુનઃ સહે છે? ત્યાં સત્ય સુખને લેશ પણ નથી, ત્યાં દુઃખના ડુંગરે રહેલા છે. વ્યાધિની ખાઈએ ભરપૂર ભરેલી છે અને ચિન્તાના સાગરે ઉછાળા મારી રહેલ છે તેવા સ્થાએ For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy