________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ચેતવાનું રહે છે જેથી વિકાસ સધાય તેવું પુરય બાંધવું અને તેવા પ્રકારના વિચાર રાખવા.
અપાર સંસાર-સાગરમાં પરિભ્રમણ કરતાં દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્યભવ મહામુશીબતે મળે છે. મહામુશીબતે જેને પાર પમાય તે અપાર કહેવાય. સરોવર-મહાનદીઓને પાર પામવામાં સાગરની માફક મુશ્કેલી પડતી નથી. તે તો બે હાથેથી પણ તરતા આવડતું હોય તે તરીને પાર ઉતરી શકાય છે, પણ સાગરમાં સ્ટીમર કે વહાણ વિના તરીને કિનારે આવી શકાય નહી માટે સાગરને અપાર કહ્યો છે, પણ અપાર એ સાગર સંસારની આગળ ગાગર જે છે એટલે સંસાર, સાગર કરતાં પણું તરવે અત્યંત દુષ્કર છે. અત્યંત દુષ્કર અને મહામુશીબતે તરી શકાય એવા સંસારસાગરને તરીને પાર ઉતરવાને ઉપાય લેવું પડશે જતે સિવાય અત્યંતદુઃખને, વિડંબનાને, તેમજ વિપત્તિઓને અંત આવશે નહી અને નિરાબાધ અક્ષય અને અનંત સુખ કદાપિ મળશે નહી. સાગરને તરવા માટે છિદ્રોવાળું વહાણ હેય તે તે જ વહાણ સાગરમાં બૂડાડે છે માટે છિદ્રો વિનાનું વહાણ સ્વીકારાય છે કે જેથી સુખપૂર્વક તરી શકાય, અને વિડંબનાએ આવે નહી. તે પ્રમાણે સંસારસાગરને તરીને પાર ઉતરવા માટે છિદ્રો વિનાની કાયારૂપ નૌકાની જરૂર પડે એમ છે, નહીતર સંસારસાગરમાં ડૂબવાને અવસર મળી આવે! તમેએ સંસારસાગરને તરવા માટે છિદ્રો વાળી નૌકા લીધેલ હેવાથી કેવી રીતે તરીને પાર ઉતરશે? માટે છિદ્રોને બંધ કરીને તરે.
For Private And Personal Use Only