________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ વિચાર અને વિવેકશીલ છે અને ભવિષ્યને ખ્યાલ કરનાર છે અને આત્માના ગુણેમાં સદા-સર્વત્ર સર્વથા રમણતા કરનાર છે, તેની આગળ તે મનવૃત્તિઓ દાસ તરીકે છે. આત્મા કહે તે પ્રમાણે તેણીઓને કરવું પડે છે એટલે સમ્યગજ્ઞાની, મનોવૃત્તિએને દાસ બનતું નથી. તેણીઓના નચાવ્યા પ્રમાણે નાચ કરતો નથી પણ તેણીઓને પિતાના કબજામાં રાખી કાર્ય સાધી લે છે. સત્ય રીતે કહીએ તે મોક્ષનું કારણ સર્વકામનાનો ત્યાગ તેમજ સંવર અને નિર્જરા છે અને બંધનું કારણ રાગ-દ્વેષ, મેહ મમતા ને અહંકારાદિક છે. મન તે તીર્થંકર મહારાજેને તથા સામાન્ય કેવલી ભગવંતોને હેય, પણ તેની વૃત્તિઓ બંધનું કારણ બનતી નથી, તથા સંસારમાં રહેલાવ્રતધારી-તપસ્વી મહાત્માઓને પણ મન તે જરૂર હોય છે પરંતુ રાગ-દ્વેષ, મોહ મમતા-આસક્તિને અભાવ હોવાથી નવીન તથા પ્રકારને બંધ તેઓને હેતે નથી. માટે રાગશ્રેષ–અજ્ઞાનતા-અહંકાર-મમતા વિગેરે જ બંધનું કારણ છે. અને તેઓને સર્વથા ત્યાગ તે મોક્ષનું કારણ છે, જે જે અંશે રાગ-દ્વેષાદિનો ત્યાગ થાય–તે તે અંશે તે બંધનમાંથી મુકત થવાય છે, અને જે જે અંશે રાગ-દ્વેષને વધારે તે તે અંશે બદ્ધતામાં વધારે થતું રહે છે. અને અત્યંત રાગ-દ્વેષ-અહં. કારાદિકને વધારો થતાં આજ આત્મા નરક નિગેદાદિમાં જઈ પડે છે, માટે રાગ-દ્વેષ, મમતા અહંકારાદિક કેમ અપ થાય અને મૂલમાંથી નાશ પામે તેવા ઉપાયે, જે સંવર નિરાદિક છે તેઓને સાધવા કોશીશ કરવી. આપણી પાસે જે સારામાં સારી અને પ્રિયતમ વસ્તુઓની મમતાને ત્યાગ કરવાથી રાગ
For Private And Personal Use Only