SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થી હાનિને આવવાને અવકાશ મળે છે, માટે પિતાના તથા પારકાના લાભ માટે સહન કરીને પ્રેમ વધારે તે હિતકર છે. સનેહને સાચવવા સહન તે જરૂર કરવું પડશે જ. ૨૦. આંટીઘૂંટીવાળા માર્ગમાંથી રસ્તો કાઢવે. કજીઆ-કંકાસ-વેરઝેરને સમાવી એકતા સ્થાપન કરવી. તથા સંપને વધારી પિતાના ઘરમાં, શેરી–પળ-પાડામાં કે વાડામાં રહેલી વ્યકિતઓની આઝાદી અને આબાદીને વધારવી–સંરક્ષનું કરવું તથા આત્માના ગુણેને વિકાસ કર, તેજ ચતુરાઈ છે. ભેદ પડાવી કલહ-કુસંપને તથા વૈરઝેરની પરંપરાને વધારી વાર્થ સાધવામાં શી ચતુરાઈ? એ તે અનાદિકાલીન કમેના આધારે આત્માની સાથે વળગેલા છે. સહજ નિમિત્ત મળતું પિતાને ભાવ ભજવવા તૈયાર થાય છે અને માથુસાઈને ભૂલાવી પશુતાને પ્રાપ્ત કરે છે અને છેવટે ખાનાખરાબી કરી મૂકે છે, માટે ચતુર માણસો તે કજીઆ-કંકાસના કારણેને મૂલમાંથી દૂર કરીને, દૂર કરાવીને પોતે પણ આબાદી અને આઝાદીને મેળવે છે. - સંપ, એકતા, ઉદારતા-સરલતા-નમ્રતા તેમજ સહનશીલતા અને સંતોષાદિ સદગુણેને જ આધારે પરમાર્થની સાથે વાર્થ સધાય. છે આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિડંબનાએ પણ ચિરસ્થાયી રહેતી નથી. દંભ પ્રપંચાદિકને ચતુરાઈ માનીને ભલે તેવા માન, જ્ઞાતિમાં સમાજમાં કે રાષ્ટ્રમાં ભેદ પડાવી સ્વાર્થને સાધે પરંતુ પરિણામે તેઓને પસ્તાવાને પાર રહેતા નથી અને બળતા હૈયાએ પરલેકે જાય છે માટે સત્તાધારી કે શ્રીમંતે કે આચાર્ય કે મુનિવરોએ કદાપિ ભેદ પડાવવાની ભાવના પણ કરવી નહી. ભેદ પડાવવામાં તે માણસાઈ પણ રહેતી નથી. For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy