SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરાસ્ત કરવાને લાગ શોધતા હોય છે. જે લાગ મળે તે બીલાડી ઉંદરને મૂકે નહી તેની માફક બીજાને ઝપટી લે. આવાને વિશ્વાસ કરનારા કદાપિ સુખને અનુભવ કરવા સમર્થ બનતા નથી. બહારથી દેખાવ કડક હોય પણ અન્તરમાં સારી ભાવનાવાળા હોય તેઓ ઉપર અવશ્ય વિશ્વાસ ધારણ કરે જોઈએ, વિશ્વાસને ધારે નહી તે આગળ વધી શકાશે નહી, સંતસાધુના વચને જે માર્ગાનુસારી હેય અગર આગમશાસ્ત્ર અનુ. સારે હોય તે વિશ્વાસ ધારણ કરવા ગ્ય છે. તે સિવાયના વચને ઉન્માર્ગે લઈ જનાર હોવાથી વિશ્વાસપાત્ર નથી એટલે પરિણામે તે વચને હિતકર બનતા નથી. અને કલહ કંકાસ વિરઝેર વધારી મૂકે છે. એક ઘરમાં બે ભાઈઓને મિલ્કત માટે તકરાર થઈ. કેઈ પણ ઉપાયે શાંત થતી નથી. ત્યારે એક ભાઈએ તકરારી માણસની સલાહ લીધી. તેણે કહ્યું કે–તારા મહા ભાઈ ઈચ્છા મુજબ તને આપતે ન હોય તે તેની બરોબર ખબર લે, આપોઆપ માગ્યા પ્રમાણે આપશે. કદાચ ન માને તે મારામારી કરીને પણ લે. ધન કાંઈ ઝાડના ફળે નથી કે એકદમ તેડી લેવાય. હેટા ભાઈએ વૈરાગી-સંગીની પાસે જઈને સલાહ લીધી. તેમણે કહ્યું કે, ક્ષણભંગુર મિલકત માટે કલહ-કંકાસ કર એગ્ય નથી. જે માગે તે આપી દે તારા ભાગ્યમાં હશે તે પ્રકારાન્તરે ધન મળી રહેશે. કલહકંકાસજન્ય ચીકાણા કર્મો બંધાશે નહીં. તેમજ વૈરપરંપરા થવાને અવકાશ મળશે નહી. લાખ સેનામહોરે પણ જતી કરવી પણ કંકાસ કરશે નહીં. કલહ-કંકાસ વિગેરેથી પરલેકમાં દતિમાં અસહા યાતનાઓ ભોગવવી પડે છે અને જેને માટે For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy