________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થએલ છે. પૂર્વ જન્મમાં માણસાઈ મેળવવાના વિચારો હતા તેથી જ મનુષ્યભવ મળે. જે પશુવૃત્તિના વિચારે છે તે મનુષ્યભવ મળતા નહીં. એ તમને ખબર તે છે કે કોઈ પણ કાર્ય પહેલાં તોગ્ય વિચારે આગળ હોય છે, સુંદર વિચારે થી સદ્દગતિની પ્રાપ્તિ થાય અને ખરાબ વિચારવડે નીચહલકી ગતિ મળે. મિત્ર ઉપર-સગાંવહાલાં પર તેમ જ પળપાડાના, અર જ્ઞાતિના-સમાજના-દેશના કે રાષ્ટ્રના સર્વે પ્રાણીઆ ઉપર મિત્રતાના સુંદર વિચારે રાખ્યા હોય તે તે મિત્રો વિગેરે આપણા ઉપર ખરાબ ભાવના રાખશે નહી-મૈત્રીભાવના ધરાવશે. સગાંવહાલાં ઉપર પ્રેમ રાખીએ તે જ તેમનાં કડવા વચને સહન કરાય છે. માનસિક વૃત્તિ પણ સદ્વિચારના આધારે શાંત બને છે, ઘણા ઉછાળા મારતી નથી. ધાર્મિક ક્રિયાની સાર્થકતા પણ સદ્દવિચારો અને સદુભાવનાના આધારે જ રહેલી છે, માટે કઈ પણ પ્રાણીઓ ઉપર શ્રેષાદિ ધારણ કરે નહી, પણ મૈત્રી-પ્રમોદ-કરુણ અને માધ્યસ્થતાના વિચાર કરો. આવા વિચારેથી જ અવશ્ય આપણું પિતાનું પણ કલ્યાણ સધાય છે એટલે આત્મવિકાસમાં તેવા વિચારે, સારા પ્રમાણમાં સહકાર આપવા સમર્થ બને છે. અદેખાઈના વિચારથી સદ્વિચારમાં વિષ પડે છે. તેથી જ વિનય, વિવેક, સભ્યતા રહેતી નથી અને જે મુખમાં આવે તે પ્રમાણે ફેંકયે રખાય છે.
જે અવળી-ખરાબ માન્યતા હોય છે, તે સદ્વિચારે અને વિવેકાદિ ખરાબ અને અવળા થાય છે. એટલે મિથ્યાત્વ અને અવિરતિ આવીને ઉપસ્થિત થાય છે અને મિથ્યાત્વ-અવિરતિના ચોગે મનુષ્ય વિષયકષાયમાં રાચીમાચી રહેલ હોવાથી સદ્વિચારે
For Private And Personal Use Only