________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયસુખના બિન્દુમાં મોજમજા માણતા હોવાથી સત્ય સુખના સિધુની ઓળખાણ થઈ નથી, અને થાય પણ કયાંથી ? જ્યાં દષ્ટિ વિષયાસતિના તરંગોમાં છે ત્યાં સ્થિર-અખંડ અને અનંત અવ્યાબાધ એવા સુખસાગરમાં દષ્ટિ ક્યાંથી પડે? અનીતિદંભપ્રપંચના વિચારોના વમળમાં જે ગોથા ખાય છે, તેઓને સત્ય સુખને માર્ગ કયાંથી સૂઝે? તમારે સત્ય સુખસિનધુમાં ઝીલીને અનંત આનંદ મેળવવો હોય તે મનઃકલ્પિત વિષયસુખના બિન્દુને ત્યાગ કરીને અનંત સુખને સાગર એવે આત્મા, તેના તરફ નજર કરો. અન્યત્ર સુખ માટે દોડાદોડી દંભપ્રપંચ કરવા નહી પડે. વિવિધ કષ્ટ વિડંબના ઉપસ્થિત થશે નહી. મન, વચન અને તન, સ્થિર થશે. તરંગોની ધમાલ બંધ પડશે. દુનિયામાં કાલાવાલા-આજીજી કરવી પડશે નહી અને ધાર્યા કરતાં પણ અન્તરમાં આનંદ આપોઆપ આવીને મળશે. ફક્ત નજર-દષ્ટિ ફેરવવાની છે, જે તમે દુન્યવી પદાર્થોને દેખે છે–દેખી ખુશી થાઓ છે-તે નજરને આત્માના ગુણે તરફ કહેતા–પિતાના તરફ વાળે ! એટલે આપોઆપ સાધને પણ સારા મળી આવશે. નજર વાળતાં અને સ્થિર થતાં તમને અપૂર્વ આનંદનો અનુભવ થશે. અત્યાર સુધી આત્મા તરફ તમોએ નજર કરી નથી અને જડ પદાર્થો તરફ જ તમારી નજર ચૂંટી રહેલી છે, તેથી પોતાને આત્મા પિતાને પરખા નહી અને આધિ-વ્યાધિ અને ઉપાધિમાં અટવાયે, દગા-પ્રપંચ-અનીતિમાં સુખ માન્યું. હવે તે સમજે! દુઃખ વેઠવાનું બાકી શું રહ્યું? તમને સુખ તે વહાલું છે જ તે પછી દુઃખના માર્ગને ત્યાગ કર્યા સિવાય સુખ ક્યાંથી મળશે? પુત્ર
For Private And Personal Use Only