________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
અક્ષયપદ્મ—અને તજ્ઞાન પણ મનુષ્યભવમાંજ પ્રાપ્ત કરી શકાય છે માટે નિન્દા—વિકથા, આળસ ઈર્ષ્યા, અવર્ણ વાદાદિકનો ત્યાગ કરીને શક્તિઓને મેળવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે.
એક રાજવૈદ્યને પાંચ દીકરા ઉપર પુત્રી હતી, તેથી તેણીના ઉપર માતપિતા તથા ભાઈઓ, ઘણુંા સ્નેહ શખતા આ પુત્રી, મ્હાટી થતાં સારી રીતે અભ્યાસ કરીને વ્યાવહારિક કાર્યમાં કુશલ બની, પણુ શારીરિક શક્તિ અને માનસિક શક્તિ જે છે તે કાયમ કેમ રહે? અને ક્યા કારણેાથી શક્તિમાં વધારા થાય તે જાણતી નહાતી ? શારીરિક ને માનસિક શક્તિમાં વધારા થાય અને આત્મિક શક્તિના વિકાસ થાય, તે માટે એ અભ્યાસ થાય-કેળવણી લેવાય તે મનુષ્ય જન્મની સફલતા સધાય. તે લીધેલ કેળવણી લે, નહીતર ફૅટે; માટે વ્યાવહારિક કેળવણી લેનારે માનસિક-શારીરિક શક્તિમાં વધારા થાય તે માટે પણ અભ્યાસ કરવાની જરૂર છે. વૈદ્યરાજે વ્યાવહારિક કાર્યોંમાં કુશળ એવી પોતાની આ પુત્રીને શ્રીમતના યુવાન પુત્ર સાથે પરણાવી. પરણ્યા પછી સંસારમાં શક્તિને વધારવા માટે અને માનસિક વૃત્તિને કબજામાં રાખવાનું જ્ઞાન નહી હાવાથી ઈંપતી એવા વિષયવિલાસમાં મુગ્ધ બન્યા કે બન્નેની શક્તિ ઓછી થવા લાગી; તેમાં વળી તેના પતિને ક્ષયરોગની અસર થઈ. ખાલી ખાંસી સાથે જીણુંજર લાગુ પડ્યો તેથી તેને કાઈ પ્રકારે કળ પડતી નથી. ખાવા પીવાનું ભાવતું નથી અને ખાય તે અજીણુ થઈ જાય. આવી દશા પોતાના પતિની દેખીને આ પુત્રીએ પાતાના પિતાને પતિની દશાની વાત કહી. વૈદ્યરાજ પાતાના જમાઇ પાસે આવીને શરીરની તપાસ
For Private And Personal Use Only