________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૯ પ્રવાહ અટકશે નહી. જગતમાં અસલ વસ્તુની નકલ અનાદિકાલથી થતી આવી છે અને થશે, પણ નકલી વસ્તુઓ દેખી મૂંઝવણમાં પડે નહી; અસલ અને નકલની વહેચણ કરે. અસલ વસ્તુ વિચારે દ્વારા જરૂર ઓળખાશે, તમારામાં તેવા વિચાર કરવાની તાકાત ન હોય તે સમ્યગુજ્ઞાનીના વિચારોને આદરપૂર્વક શ્રવણ કરે; અને શ્રવણ કરીને શકય પુરુષાર્થ કરે; અસલ આત્મિક ગુણે મળી રહેવાના જ; અને નકલી વસ્તુઓને આદર ઘટવાને; જે નકલી વસ્તુઓ મેળવી છે, તે તમને વ્યથા ઊભી કરશે નહી; પણ અસલ વસ્તુને પ્રાપ્ત કરવામાં સહાયભૂત બનશે. આ સઘળું બને કયારે ? જે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો અગર સમ્યગજ્ઞાની પાસે ગમન કરી આદરપૂર્વક સાંભળે ત્યારે, સમ્યગજ્ઞાનીના વિચારો પસંદ પડ્યા અને તદનુસારે પ્રયત્ન થયે તે કામ થયું માને.
૪૪૮. સજજન અને દુર્જન માણસેની કલ્પના વિષય અને કષાયની વૃત્તિથી અગર અનુકૂલતા અને પ્રતિકૂલતાના આધારે પ્રાયઃ સંસારમાં ઊભી થઈ છે, વસ્તુતઃ જગતમાં કોઈ પણ દુન દેખાતું નથી; કારણ કે તે પણ કમંધીન છે, સારાં નિમિત્ત મળતાં ઉત્તમ સંસ્કાર દ્વારા તે દુર્જન ૫૬ સજજન બનવાને, માટે તેના પર મીઠી નજર રાખવી; તમને ઘણીવાર અનુભવ થયે હશે કે જેને આપણે દુર્જન કહો હતે તે જ વ્યક્તિ તેને અનુકૂલતા આવતાં સજજન બને છે, અને સુધરી જાય છે. સમ્યગ્રજ્ઞાનીએ તે સજનના ઉપર જે પ્રેમ રાખે છે તે જ પ્રેમ દુર્જન ઉપર પણ રાખે છે. તેઓને સજજન દુર્જનની કલ્પના દેતી નથી; તેથી તેઓ
For Private And Personal Use Only