SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરુના વ્યાખ્યાને સાંભળવા માટે લાગણી રાખવી હિતકર છે. ૩. અનાદિકાલથી જીવાત્માઓ આઠ કર્મોથી બદ્ધ બનેલા હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેને દ્વારા નવા કર્મોવડે બદ્ધ બને છે અને ચારેય ગતિમાં પરિભ્રમણ કરતાં અસહ્ય દુઃખાને ભેગવી રહ્યા છે. આ દુઃખાના નિવારણ માટે સદ્દગુરુને ઉપદેશ સાંભળવાની આવશ્યકતા છે. સદ્દગુરુને ઉપદેશ સાંભળતાં અને હૃદયમાં ઉતારતાં મિથ્યાત્વના નાશથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને સમકિતી, શ્રદ્ધાબલથી પૂર્વની માફક મેહનીય કર્મની સ્થિતિને બાંધતે નથી. પણ એક કડાછેડી ઊણ સાગરોપમની સ્થિતિને બાંધે છે તેથી સુદેવ, સુગુરુ અને સુધર્મમાં દૃઢતા થાય છે; વ્યવહારમાં વર્તતાં પણ આસક્તિ થતી નથી. પછી આત્મજ્ઞાન થતાં વતેને લેવાની ભાવના જાગ્રત થાય છે માટે સદુપદેશ સાંભળવા સદા કટિબદ્ધ બનવું જોઈએ. જેએ, સદ્દગુરુના ઉપદેશને સાંભળતા નથી અને અરુચિભાવ ધારણ કરે છે, તેઓના સંકટને તથા વિડંબનાઓને અંત આવતું નથી, સદુપદેશને મહિમા એ છે કે અનિચ્છાએ પણ સંભળાય તે પણ ઘણું સંકટથી બચાવ થાય છે. રોહિણીયા ચેરની માફક-તેના પિતાના કહેવાથી વીરપ્રભુની વાણી નહિ સાંભળવા તેણે નિયમ લીધે એકદા રાજગૃહી નગરીમાં ગમન કરતાં મહાવીર સ્વામીની દેશના ન સંભળાય તે માટે કાનમાં આંગળીઓ ઘાલીને ચાલવા માંડ્યું. તેવામાં અચાનક પગમાં કાંટે વાગ્યે તેને કાઢ્યા સિવાય ચલાય એમ હતું નહિં, તેથી કાંટે કાઢતાં શ્રી વીરપ્રભુની વાણી For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy