________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭. વાતે કરવાથી કે લેક રંજન કરવાથી આત્મબલ વધતું નથી, જે આત્મબળ વધતું હોય તે આત્મિક ગુણેમાં રમણુતા કરવાથી જ અને સર્વ જંજાળને ત્યાગ કરવાથી જ માટે આત્મબલના ઈરછુઓએ લેકરંજનમાં મુગ્ધ બનવું નહી.
આત્મસાક્ષાત્કારમાં જે બલ-જ્ઞાન મળતું હેય છે–તે કરંજન-લેકપ્રવાહથી કયાંથી મળે? હરગીજ મળે નહી. આત્મસાક્ષાત્ કરવામાં તે મન, વચન અને કાયાની ગુપ્તિ બરાબર રાખવી પડે છે અને રાખવી જોઈએ, તે જ આત્મસાક્ષાત્કાર થાય,
૨૪૮. વિડ્યો ફક્ત વિદને કરવા અગર પાછળ પાડવા આવતા નથી, પણ મનુષ્યોને ચેતવવા, આંખે ઉઘાડવા માટે આવે છે, માટે તેનાથી ભય ન પામતાં, તેઓને સહી લેવાની શકિત મેળવવી; જ્યારે તે વિદને સહન થશે ત્યારે ઉસાહ જાગશે.
દુખ કે વિપત્તિઓને સહન કરવાથી અને ધર્મયાન કે શુકલધ્યાનથી જ, મારું સામર્થ્ય પ્રગટ થશે-આ પ્રમાણે વિશ્વાસ કરનારાઓ, વિપત્તિઓની સામે ગમન કરે છે પણ પાછી પાની કરતા નથી. એટલે જ તેઓને અપૂર્વ અનુભવને લાભ મળતું રહે છે.
આત્માની અજ્ઞાન દશામાં જ પ્રાણીઓ, વિવિધ બંધને ઉમા સ્થિત કરીને તેમાં જ ફસાય છે. જ્યારે જ્ઞાન દશા, સાત્ય રીતે જાગ્રત થાય છે ત્યારે જ બંધને ઊભા કરતા નથી અને તેમાં ફસાઈ પડતા નથી–અને ચેતતા રહે છે.
For Private And Personal Use Only