SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરવચન. પૂ આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરિજીમાં સ્વ. મહાન વિભૂતિ યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના માનસિક વિચારબળનાં અમુક અંશે અગ્ર શિષ્ય તરીકે આધ્યાત્મિક વારસામાં ઉતરી આવ્યા હોય એમ અનુમાન કરવાનું પ્રેરણુ બળ આપણને મળે છે, કેમકે જે અદ્દભુત વિવેચન શક્તિ (Descriptive power ) ગિપ્રવરમાં હતી તેને ઘણે અંશે મળતી આવતી પૂ. આ. મ. શ્રી કીર્તિસાગરસૂરિજીના પ્રસ્તુત “આંતરતિ ” પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રવાહબદ્ધ ચાલી આવે છે. એકાંત નિઃસ્વાર્થ ભાવથી આવા મુનિવરોનાં હૃદયઝરણાંમાંથી વિદ્યુત શક્તિરૂપે આંતર-તિ બની જૈન અને જેનેતર જગતને નૈતિક અને આધ્યાત્મિક અનુભવની પ્રસાદી મળે તે અહોભાગ્યની નિશાની છે. ખાસ કરીને પુસ્તકનું આખું સવરૂપ તપાસતાં એમની શાંતિપ્રિયતા, સરળતા, સમન્વયતા અને નમ્રતાનાં દિગદર્શન સાથે એમણે પ્રાણીઓને ભૌતિક-પૌગલિક જગતનું દર્શન કરાવી તેની અસારતા સૂચવી આધ્યાત્મિક જગત્ તરફ ખેંચવા સફળ પ્રયત્ન કરે છે, પરંતુ તે સાથે આસન, પ્રાણાયામ અને કસરત સાથે શારીરિક ઉન્નતિ, મનની પવિત્રતા, અને મનસંયમપૂર્વક નિશ્ચયબળ (Will Power) ઉત્પન્ન કરવા વડે For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy