SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ : થારત–કાશ : રાજાના પ્રત્યુપકાર કરવાના મનારથ gr છેક પાસે આવી પહેાંચ્યા. ભયદેવે રાજાને નેતરું આપ્યું. મારે ઘેર આવ અને ભેજન કર. રાજા મલ્યાઃ આ નગરમાં મારા સ્વજના રહે છે એટલે તેમને ઘરે જ ભેાજન કરીશ માટે મને જવાની રજા આપ. ‘ એમ કરેા ’એમ ભવદેવે કહ્યું, એ રીતે રજા મેળવી કેટલાંક પગલાં આગળ ચાલી રાજા પાછા વળ્યે અને ક્ડવા લાગ્યા: ભા ભ। મહાભાગ ! હુવે ફરીથી તું ક્યાં મળીશ? તારું દર્શન ક્રીથી ક્યાં થશે ? ભવદેવ આલ્યાઃ દેવ-ભગવાન જાણે. રાજા બલ્યૂઃ એમ ન એલ. ખરી વાત કહે કે તું ક્યાં રહે છે? કાના પુત્ર છે? અને તારું નામ શું છે? પછી તેના આગ્રહથી ભવદેવ આલ્યાઃ અહીં ખંડના મંદિર પાસે મંથર શેઠ રહે છે. તેમના હું પુત્ર છું અને મારું નામ ભવદેવ છે. આ બધી વાત સારી રીતે અવધારી લઇ રાજા તો વેગપૂર્વક મહેલ તરફ ઉપડ્યો. ભવદેવને પણ રાજા વશે કશી પૃચ્છા ન કરી તેથી શાક થયા અને એ રીતે શાક કરતા કરતા તે પેાતાને ઘરે ગયે. રાજા પશુ નાકરાની નજર ચૂકવીને ગુપચૂપ રાજભવનમાં પેસી ગયા. જાણે કે જમીનમાંથી નીકળી ન આવ્યા હાય એ રીતે રાજલાકે એકદમ રાજાને જોયે.. વધામણાં કરવામાં આવ્યા. હવે કેટલાંક દિવસો વીત્યા પછી રાજાને વિચાર થયા. ફાઈએ કરેલા લાંબા ઉપકારને યાદ કરીને વાભવિષ્યમાં કોઈ તરફથી થનારા ઉપકારને યાદ કરીને તે સૌ કોઈ સ્નેહભાવ ખતાવે છે, સાધારણ લોકોના એ જ મા છે; પરંતુ તે વખતે રસ્તામાં આવતાં મને જે પ્રવાસી મન્યેા હતેા તેના સ્નેહભાવ ઉપલા માર્ગ કરતાં તદ્દન જુદા પ્રકારના હતા. કાઇ પણ જાતની ઓળખાણુ વિના જ એણે રસ્તામાં મને જોતાં જ ભાતુ વગેરે આપ્યું અને મારી માંદાની માવજત–સેવા પણ કરી. લોકો ભલે એમ કહે કે આ ધરતીને શેષનાગ પોતાના માથા ઉપર ધરી રાખે છે પરંતુ હું એવા તર્ક કરું છું કે જે લેાકેા ઉપકાર કરીને પણ કશા બદ્દલાની આશા નથી રાખતા તે જ આ ધરતીને સ્થિરપણે ધરી શખે છે. અથવા— જે લેાકેા બદલાની અભિલાષા રાખતા નથી અને જે લેાકેા પાતે બીજા ઉપર કરેલા ઉપકારને પણ વીસરી જાય છે અથવા જે લેાકા કાઇએ કરેલા ઉપકારને જ યાદ કર્યાં કરે છે અને કૃતજ્ઞતાને ધારણ કરે છે તે અન્ને પ્રકારના લેાકાના પુણ્યને લીધે જ આ ધરતી ટકી રહી છે એવી મારી માન્યતા છે. પેલેા રસ્તામાં જે મહાત્મા પ્રવાસી પુરુષ મને મળ્યા હતા, જેણે મારા ઉપર અતિશય ઉપકાર કર્યાં હતા છતાં તેણે મને એમ પણ ન પૂછ્યું કે ભાઈ ! તું ક્યાં રહે છે? વા તારું નામ શું છે? તે હવે મારા એ દિવસ ક્યારે આવી પહોંચે કે જે દિવસે હું એ મારા ઉપકારીને મારે પોતાને હાથે જ મારું રાજ્ય ભળાવી—મારી ગાદીએ એસાડી વનવાસમાં જાઉં-જઇ શકુ. આ રીતે રાજા પેાતાના તે ઉપકારીના સ્મરણમાં એકચિત્ત થઈ ગયા હતા, એટલામાં દ્વારપાળે આવીને તેને વિનતિ કરી હે દેવ ! રાજદ્વાર ઉપર, ઘણા "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy