SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ કત્તવિરય રાજવીની તાપસી દીક્ષા અને સુરશેખરને રાજ્યપ્રાપ્તિ ઃ કથારત–કાશ : સાંભળીને રાજાને ભારે રાષ આવ્યે અને તેથી તેની આંખો લાલ લાલ થઈ ગઈ. તેણે પેાતાના પુત્ર અપરાજિતને હદપારની આજ્ઞા કરી અને પેલા ઘાતકીના વધ કરવા ફરમાન કર્યું. સુરશેખરે પાતાને જીવતદાન આપેલ છે તેથી રાજાએ તેની વિશેષ આદરપૂર્વક પૂજા કરી અને પેાતાનુ રાજ્ય તેને આપી દીધું. સુરશેખરે તે રાજ્યની ઈચ્છા નહીં કરતાં રાજાને પગે પડીને વિનતિ કરી: હું દેવ ! તમે મારા ઉપર પ્રસાદ કરતા હા તે અપરાજિતના આ એક અપરાધ માફ કરે. એ બિચારા અજાણ છે, નહીં તેા દેવાને જેમની સેવા દુર્લભ છે એવા આપની તરફ એ આવુ અનિષ્ટ વન આચરે ખરા ? વળી ડે દેવ ! આ જે મારા છે તેમને પણ અભયદાન આપે. એ બિચારા પેાતાના પાપથી મરેલા જ છે, તેમને મારવાથી શુ? રાજાએ એ વાત માની હદપાર કરેલા રાજપુત્ર અપરાજિતને પાછી વાળ્યેા. અા ! આ સુરશેખર કેવા મહાપુરુષ છે ? કેવા નિઃસ્પૃહ છે ? અને અહા ! આ કેવે પાપકારી છે ? એ રીતે ચારે કારથી સુરશેખરને શાખાશી મળવા લાગી. હવે વૈરાગ્ય પામેલા રાજા વિચાર કરવા લાગ્યું. મૂઢ પુરુષો પેાતાની જાતને પુત્રસંતતિને માટે, મિત્રા-સ્વજનાની મૈત્રી માટે નકામી હેરાન કરે છે. ધિક્ છે એવા મૂઢ પુરુષોને! એ બધા એટલે પુત્ર, સ્વજના વગેરે પાતપાતાના સ્વાના અનુરાગી છે અને જરાક જેટલે તેમના સંબંધ બગડ્યો કે તે જ પુત્ર અને તે જ સ્વજને શત્રુની પેઠે મારવા તૈયાર થાય છે, એ વાત તે મૂઢ પુરુષો જાણતા નથી. વળી સ્વાર્થ બગડતાં જ તેઓ પૂર્વે કરેલા બધા ઉપકાર ક્ષણમાત્રમાં વીસરી જાય છે અને એ રીતે પ્રતિકૂળ થઈને વતે છે, માટે ડુંખ જેવા કુટુંબ તરફ મેહ રાખવા એ વિડંબના છે. હું પશુ ધન, સ્વજન, પુત્ર, યૌવન અને વિષયના વ્યાસંગમાં મનને પાવીને આટલા બધા લાંખા સમય સુધી દૂષિત થયેલા છું. એ રીતે મારા ઘણેા સમય કેવી રીતે નકામાં ચાહ્યા ગયા છે ? વળી, આવે ધર્મ સહાયક પુત્ર ન હેાત તે હું પણ હજી લાંબા સમય સુધી અહીં વિષયામાં અનુરાગી અને વિવેક વગરના જ રહ્યો હેાત. એ રીતે પેાતાના ઘાત કરનાર પુત્રના ડોષ પણ રાજાના મનમાં હુમણાં ગુણુરૂપે વસ્યા. પછી રાજાએ સુરશેખરની ઈચ્છા ન છતાં તેને ગમે તેમ કરીને સમજાવી પેાતાની ગાદીએ બેસાડ્યો અને વનવાસમાં જઈ તાપસાના વ્રતના સ્વીકાર કર્યાં. હવે એ રીતે સાસરાએ સેાપેલા રાજ્યના કારભાર ચલાવતા એ સુરશેખર જાણે કે દોરડાથી બંધાયેલે ન હેાય તે રીતે સ્થિર રહીને પૂર્વ પુરુષાની પરંપરા પ્રમાણે પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા, એટલામાં તેના પિતા તરફથી તેને લાવવા ખાસખાસ પ્રધાન પુરુષા ત્યાં આવી પડેોંચ્યા. પ્રસંગવશ તેઓએ કહ્યું કે-વનવાસમાં ગયેલા કત્તવિરિય રાજષના વૃત્તાંત સાંભળીને રાજા રિસેણુની સસારવાસની વૃત્તિ-વાસના તૂટી ગઈ, વિષયવાંછા છેદાઈ ગઈ, પ્રેમ-રાગની એડી ભાંગી ગઇ, જીવનું વીય ઉલ્લસિત થઇ ગયું, એથી એ ૯ "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy