SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ : કારત્ન-કેશ : સુરશેખર રાજપુત્રની પ્રવીણતા અને કહ્યું કે-હે પુત્ર! તમે અત્યાર સુધી ક્રળાઓને શીખી તેમાં જે ચાતુર્ય પ્રાપ્ત કર્યું છે તે બતાવે. “જેવી પિતાજીની આજ્ઞા” એમ કહીને જયદેવ વગેરે રાજકુમારેએ પિત. પિતાનું કળાકૌશલ્ય બતાવવા માંડયું. તેમણે પિતાનું ચિત્રકળાનું ચાતુર્ય, પત્રઘની કળાનું ચાતુર્ય અને યુદ્ધ વગેરે બીજી બીજી કળાઓનું ચાતુર્ય બતાવ્યું. એ રાજકુમારે એક જ સમયે ભણેલા છે, એક જ અધ્યાપકે તેમને વિદ્યાઓ આપેલી છે, સરખી રીતે શાસ્ત્રના પરમાર્થને વા અસ્ત્ર શસ્ત્રોને વાપરવાની કળાઓને તેઓ શીખેલા છે અને એ શીખવા માટે તેઓએ વારંવાર એક સરખે શ્રમ પણ કરે છે અને તેઓ બધા પિતાની શક્તિથી પત્રછેદ્યા વગેરે કળાઓને બતાવી રહ્યા છે છતાં તે રાજપુત્રોમાં એક માત્ર સુરશેખર રાજકુમારનું દક્ષપણું બધા ય કરતાં ચડિયાતું અને અસાધારણ દેખાય છે. તે બધા કુમારે ભેગા થઈને ચિત્રલેખન વગેરે જેટલું કામ કરે છે તેટલું જ કામ એકલે સુરશેખર રાજકુમાર કરે છે. હવે સુરશેખર તરફ તેની અસાધારણ ચતુરતાને લીધે સવિશેષપણે આકષાયેલા મંત્રીઓએ નેહપૂર્ણ નજરે જોયું. રાજાના મનમાં પણ પરમ આનંદ ઊછળી આવ્યો છતાં તેને બહાર જણાવા ન દઈ અને મુખના ભાવ છુપા રાખી તેણે કઈ બીજું બહાનું કાઢી સુરશેખર તરફ જરાક જોઈ લીધું. વિશેષ આદર સાથે જયદેવ વગેરે બધા કુમારેની પ્રશંસા કરી અને સુરશેખરને કશું જ ન કહ્યું તેથી તે મનમાં જે ઠે પડી ગયું અને તેને ડોક રોષ પણ આવી ગયે. કુમારને પાનનાં બીડાં દેવરાવ્યાં અને પછી તેઓ જેમ આવ્યા હતા તેમ પાછા પિતાને સ્થાને ચાલ્યા ગયા. પછી મંત્રીઓ બેલ્યા: હે દેવ બીજા બધા કુમારે કરતાં ચતુરાઈમાં આ સુરશેખર ઘણે જ ચડિયાતા છે. રાજા બે ખરી વાત છે. હવે ફક્ત આજે ધનુર્વેદમાં તેની ચતુરાઈ પારખવાની છે. મંત્રીઓએ એ વાત સ્વીકારી. કેઈ બીજે દિવસે બધા કુમારેને ફરી વાર બોલાવ્યા અને કહ્યું કે–અરે ! આજે તે તમે તમારા પિતપતાના ધનુષબાણની ચતુરાઈ બતાવે. “ઠીક” એમ કહીને એ બધા રાજકુમારે રાજાને હુકમ માથે ચડાવી ધનુષ ઉપર બાણ ચડાવવા વગેરેની પ્રવૃત્તિમાં લાગી ગયા. વિશેષ તો એ હતું કે—લક્ષ્ય વધવા ધનુષને સજજ કરીને તૈયાર થયેલા બીજા બધા રાજકુમારે મજબૂત હાથે ધનુષના તડતડાટ કરતાં છેડા ઉપર હજુ સુધી દરે ચડાવી શક્યા નથી ત્યારે એટલી જ વારમાં કુમાર સુરશેખરે ધનુષને ગોળ વાળી, અનુસંધાન કરી બરાબર મજબૂત રીતે ખેંચી ધનુષ્ય યંત્રમાંથી છોડેલું બાણ વીંધવાના લક્ષ્ય સુધી પહોંચી પણ ગયું. બીજા રાજકુંવરે ધનુષ્યમાંથી એક એક બાણને જેટલી વારમાં ફેંકી શકે છે તેટલી જ વારમાં જેમ ખુશી થયેલે પુરુષ સરધરણિ–વરધારણિ અનેક જાતનાં ખિલખિલાટ કરે તેમ આ સુરશેખરકુમાર સરધારણિ-શરરણિ બાણોની હારની હાર છોડી શકે છે. બીજા બધા રાજકુંવરે જેટલી વારમાં એક એક લક્ષ્યને પણ વીંધી શકતા નથી, તેટલી વારમાં "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy