SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ વ્યંતર દેવની સુરપ્રિય પર પ્રસન્નતા ': કથા રત્ન–કાશ : સાથે આ રીતે વિકારી વચને શામાટે બેલે છે અને તારી જાતને પણ શામાટે કષ્ટ આપે છે? વ્યંતરીએ કહ્યું: પિતાની સ્ત્રીને બીજી સ્ત્રી કહીને તું અહીંથી છટકી શકવાને નથી. આ પ્રમાણે કહીને તે દેવી તેને સતાવવા લાગી–ઉપસર્ગ કરવા લાગી. સુરપ્રિયે નિર્વિકાર ચિત્ત રાખીને તેને તિરસ્કારી કાઢી એટલે તે વંતરી તેના પ્રત્યે ખુબ રોષે ભરાણ અને લતાના મંડપમાંથી બહાર નીકળતાં બેલી કે-“રે દુરાચારી, તું જે જે તે ખરે કે હું એવું કરીશ કે જેથી તું મને મહેમાન બનીશ.” આ પ્રમાણે લીને તે અંતર્યાન થઈ ગઈ. તે દેવીએ પિતાના સ્થાને જઈ સંધ્યાસમયે પોતાના પતિને કહ્યું કે-હું શુદ્ધ શીલવાળી તેમજ શુદ્ધ આચારવાળી છું છતાં દ્વિજપુત્ર સુરપ્રિયે જેમ તેમ બેલીને મારી ઈચ્છા ન છતાં મારી સાથે દુષ્ટ વ્યવહાર કર્યો છે. આ પ્રમાણે સાંભળી તે વ્યંતર દેવને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયે એટલે મધ્યરાત્રિએ સુરપ્રિય પિતાની સુખશય્યામાં સૂતે હતા અને તેની સ્ત્રી તેનું શરીર દાબી રહી હતી ત્યારે તેની પાસે આવ્યું. બરાબર આ જ સમયે સુરપ્રિયે પિતાની સ્ત્રીને પૂછયું: હે ભદ્ર ! જ્યારે હું બગીચામાં બેઠે હતો ત્યારે તું મારી પાસે શા માટે આવેલી ? તેની સ્ત્રીએ કહ્યું છે આર્યપુત્ર! આ પ્રમાણે તમે અનુચિત કેમ બેલે છે? જિનમંદિર અને મુનિવરને ઉપાશ્રય-એ બને સિવાય ત્રીજે કઈ સ્થળે પહેલાં પણ હું ગઈ હોઉં તેવું તમે જોયેલ છે જેથી આવી રીતે આજે અઘટિત પ્રશ્ન કરે છે ? સ્ત્રીનાં આવાં વચને સાંભળીને પિતાના ભાવને છુપાવીને સુરપ્રિય મૌન રહ્યો. ત્યારે આશ્ચર્ય પામેલી તેણીએ ખરી હકીકત કહેવા માટે આગ્રહ કર્યો ત્યારે સુરપ્રિયે ઉદ્યાનમાં બનેલી સર્વ હકીકત જણાવી. આ બધે વૃત્તાંત તે વ્યંતર દેવે પણ સાંભળે અને તેને ક્રોધ 63 પડી ગયે. તેને વિચાર આવ્યો કે-અહે! વાંસની ઝાડીની માફક વક્ર હૃદયવાળી સ્ત્રીઓ કેવી કેવી દુષ્ટા કરે છે ? બાદ બે હાથ જોડીને તે સુરપ્રિયને કહેવા લાગ્યું કે હે સુરપ્રિય, હે ખરેખર નામ તેવા જ ગુણવાળા, તે તારું જ કુળ પવિત્ર કર્યું છે એમ નહીં પરંતુ તારા લીધે સમસ્ત પૃથ્વી પણ પવિત્ર બનેલી છે. તારા સચ્ચારિત્રને લીધે હું તારા ઉપર ખુશ-ખુશ થઈ ગયે છું માટે ગમે તે વરદાન માગી લે. આ પ્રમાણે સાંભળીને સુરપ્રિયને વિરમય થયું. તે બોલે છે મહાનુભાવ! તમે કેણું છે? અને મારા પર ખુશ થવાનું શું કારણ છે? પછી તે વાણુવ્યંતર દેવે બનેલી બધી હકીક્ત કહી સંભળાવી. એટલે સુરપ્રિયને બધે ખ્યાલ આવી ગયે. વરદાન માગવા સંબંધી તેણે દેવને કહ્યું કે-મારા ઉપર દેવ અને ગુરુ બનેની કૃપા છે તેથી મારે કંઈ પણ માગવાની ઈચ્છા જ નથી. દેવે કહ્યુંઃ મારા ઉપર મહેરબાની કરવાની ખાતર જ કોઈ પણ માગી લે એટલે સુરપિચે તેને રાજી કરવા માટે પૂછયું કે- હે દેવ! મારું આયુષ્ય કેટલું "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy