SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સુરેહનું જોયેલું પિતાની સ્ત્રીનું દુરિત્ર : કથા -કેરા : એને કહી રાખ્યું કે-નગરમાં શું શું બની રહ્યું છે અને કે શું બોલે છે? એનું ધ્યાન રાખજે. સુરહ પિતે પણ પિતાના ગુપ્તચર શી પ્રવૃત્તિ કરે છે એ જાણવા વેશ. બદલો કરીને નગરની બહાર નીકળે અને ગુપ્તચર વિશે તપાસ કરવા લાગે. બરાબર એ જ સમયે રાજાને મુખ્ય દૂત સુપ્રતિષ્ઠા કેટલાંક માણસ સાથે એકાંતમાં બેસીને પિતાના ઘરના કામકાજની વાત કરતા હતા એ સુરહના જવામાં આવ્યું. એને જોતાં જ સુરહે વિચાર્યું કે આ માણસને સીમાડાના રાજાએ લાંચ આપી હેવી જોઈએ અને એથી તે રાજવિરુદ્ધ વિચાર કરતે લાગે છે માટે એક ખરેખર શુદ્ધ આચારવાળે જણાતું નથી. આ રીતે સુરહે પિતાના વતમાં અસાવધાન રહીને રહસ્યાભ્યાખ્યાનને બીજો અતિચાર પણ લગાડ્યો. પછી સુર સુપ્રતિષ વિશે જે વાત કરી હતી તે કઈ પણ સ્થળેથી રાજાએ સાંભળી એટલે તેને (રાજાને) તે સંબંધે સંદેહ ઉપજવાથી રાજાએ સુરહને બેલા અને સીમાડાના તે જ રાજા પાસે દૂત તરીકે મોકલે. સુરહે પિતાની પણ વાક્કુશળતા વાપરીને સંધિનું કામ સાધી આપ્યું. ત્યારબાદ એ પોતાના નગર તરફ પાછા વળે. જ્યારે એ, પિતાના નગરની લગભગ પાસે આવ્યું ત્યારે તેણે પિતાની સાથેના માણસોને પોતપોતાને સ્થાને મોકલી આપ્યા અને પોતે એકલે પિતાના ઘરના પરિવારનું સાચું સ્વરૂપ જાણવા માટે છૂપે વેશ કરી બધા લેકે સૂતા હતા તે વખતે બરાબર મધ્યરાત્રિએ પિતાને ઘેર ગયે અને પાછલા બારણેથી ઘરમાં દાખલ થયા. ત્યાં જાળિયાવાળા ગોખમાં ઊભા રહી ઘરની સ્થિતિ જેવા લાગે. બરાબર એ વખતે તદ્દન એકાંત છે એમ સમજી તેની (સુરહની) સ્ત્રીએ પોતાના એક રક્ષક નોકરને બોલાવ્યો અને પિતાની સાથે વિષયસેવન કરવા કહ્યું. પેલા સેવકે કહ્યું હું તે હનરૂપ છું-કપિ છું, મારું શરીર ઢંગધડા વગરનું અને દુર્બળ છે. તું તે સુંદરી છે, તારા બધા અવયવે ઘણા જ મનહર છે. વળી તાપસી સાથે સંભોગ કરવાથી જેમ મહાદેવનું લિંગ છેદાયું હતું તેમ તેવા પ્રકારનું અકૃત્ય કરવાથી મારું લિંગ પણ છેદાઈ ગયેલ છે માટે તું મને મૂકી દે. સુરહની સ્ત્રીએ સેવકે કહેલી બધી વાત સાંભળી પરંતુ તેમાં તેને શ્રદ્ધા ન થવાથી તેણે તેનું કપડું કાઢી નાંખી તેણે કહેલી હકીકતને નજરોનજર જોઈ ખાત્રી કરી. ત્યારબાદ પિતાની આશા વિફળ થવાથી તે પાછી પિતાની પથારીમાં જઈને સૂઈ ગઈ. પેલે સુરહ પણ કાર્યને મર્મ જાણીને પોતાના નગર બહારના ઉતારે ચાલ્યો ગયે અને ત્યાં સુખશામાં બેઠો બેઠો વિચાર કરવા લાગે. આ મારી સ્ત્રી, સારા કુળમાં જન્મેલી છે, ધર્મની જાણકાર પણ છે છતાં તે પણ આવું કામ કરી શકતી હોય તે પછી પૃથ્વી ઉપરની કેઈ પણ સ્ત્રી શીલને સાચવે એ બનવું જ શક્ય નથી અર્થાત્ બીજી સ્ત્રીઓ તે શીલને કેમ સાચવી શકે ? શ્રી જિનેશ્વર ભગવંતનું વચન ભૂરિભંગ છે એટલે કે ઘણું ભાંગા વિકલ્પવાળું છે. વળી પ્રગટિતબહુ "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy