SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલ મૃષાવાદના ત્યાગ વિશે સાગરની કથા (૩૫) છે જે ના વિના જીવવધનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા પણ નિર્દોષ સંભવી શકતી નથી, પૂરેપૂરી સાચી થઈ શકતી નથી તે અસત્ય વચનના ત્યાગની વાત હવે પછી સંક્ષેપથી કહેવાય છે. અલિક એટલે અસત્ય-જૂ હું. એક તે સાચી વાતને વા સાચી વસ્તુના સ્વરૂપને ઓળવવા જે કાંઈ બલવું તે જ હું છે અર્થાત્ સાચી વાત કરતાં નામુકર જવું વા વસ્તુના સાચા સ્વરૂપની હકીકતને ઢાંકી રાખી બીજું ફાવે તે બેલવું એ, એક પ્રકારનું અસત્ય છે અને બીજું, તદ્દન ખોટું જ બોલવું તે સાચામાં ખાટાને ગમે તેમ આરેપ કરીને બેલિવું તે પણ જૂ હું જ છે. આ બન્ને પ્રકારનું જૂઠું ભારે દુષ્ટ છે. જે માણસ એવું ખોટું બોલે છે કે, ભારે ભયાનક પાપ બાંધે છે અને એમ કરીને તે, બીજાને અને પિતાને પણ મેટા આપદાના દરિયામાં ખરેખર ફેકે છે. ખોટું બેલનારની પિતાની જીમ કે કાન કપાઈ જવાથી તે ખુદ પિત, મહાઅનર્થના ખાડામાં પડે છે અને સારા માણસને “એ ચેર છે” એવું ખોટું કહીને એ બેટું બેલનારે બીજાને પણ અનર્થના ખાડામાં ઉતારે છે અર્થાત છેટું બોલનાર એ રીતે પિતાને અને બીજાને ભારે તકલીફમાં નાંખે છે. વળી બીજું, જે કાંઈ ધર્મનું અનુષ્ઠાન છે તે બધું પ્રતિજ્ઞાપૂર્વક જ હોય છે એમ કહેવામાં આવે છે. અર્થાત્ “અમુક જ કરવું ” અથવા “અમુક ન જ કરવું” આવી પ્રતિજ્ઞાવળાં બધાંય ધર્માનુષ્ઠાને હોય છે અને એ પ્રતિજ્ઞા, વચનરૂપ હોય છે. હવે એ વચનરૂપ પ્રતિજ્ઞા છેટી જ હોય તે યમ, નિયમ, તપ વગેરે જે કાંઈ ધર્મકાર્ય છે તે બધું જ નિરાધાર થઈ ગયું–ખોટું થઈ ગયું, માટે સાચા વચનમાં જ ધર્મને વિધિ રહેલે છે એમ જ્ઞાનીઓ કહે છે. સત્ય એ ઉત્તમોત્તમ પવિત્રતા છે. એ, પાણી અને અગ્નિને પણ થંભાવી દે છે. સત્ય વાણીના પ્રભાવને લીધે ભયંકર સાપ પણ નાશી જાય છે અને એથી તે ડંસી શકો નથી. સત્યને લીધે દે પણ વશ થાય છે, બધાય પિતાના મિત્ર બની જાય છે. એ પ્રમાણે સત્યમાં બધા ગુણે રહેલા છે માટે સત્ય વચન જ પ્રધાન છે—ઉત્તમ છે. સત્યને લીધે સાગર નામના માણસને લક્ષમી મળેલી છે, કીતિ પણ મળેલી છે, અને અસત્યને લીધે એ સાગરને જ ભાઈ ભારે દુઃખી થયેલ છે. એ સાગરની કથા આ પ્રમાણે છે. - જંબૂદ્વીપના શિખરરૂપ એવા અર્ધ ભારતના તિલકરૂપ એવું કંચનપુર નામે નગર છે. એ નગરની એવી સુંદરતા છે કે જેથી કલ્પવાસી દેવે પણ તેના વખાણ કરે છે. એ નગરની બહારની ઉઘાન ભૂમિ–આરામ-ભૂમિએ રંભા-કેળાવડે મનહર દેખાય છે અને એ નગરની અંદર રહેનારી વિલાસિની રામાઓ રંભા-અપ્સરાઓ જેવી ભારે મને હર છે અર્થાત્ એ રીતે એ નગર બહાર અને અંદર એમ બન્ને સ્થળે રંભાભિરામ છે. એ જ રીતે "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy