SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ગુરુમહારાજે સમજાવેલા પહેલા વ્રતના અતિચાર : કથાર-કેશ: હવે શું કરવું ? એમ વિચારતે પેલે મધુ શેઠ ખેદ પામે. તેને ખેદ પામતે જોઈને તેના સહાયકોએ સલાહ આપી : અરે આમ વ્યાકુળ કેમ દેખાય છે? મરેલા ઊંટેને ભાર બાકીના ઊંટે ઉપર લાદીને આગળ કેમ પ્રયાણ કરતે નથી? આટલા થડા વધારે ભારને લીધે એ ઊટને કશી પીડા થવાની નથી. પછી લોભને વશ થયેલા એ શેઠે પિતે લીધેલા વ્રતના અતિચાર વિષે કશે વિચાર ન કર્યો અને પેલા સહાયકે એ જેમ કહ્યું તેમ કર્યું એટલે બાકીને વધારાને ભાર બધા ઊંટે ઉપર થેડે છેડે વધારે નાખી તે પેલી છાવણી તરફ ઉપડી ગયા. ત્યાં જઈને આણેલે બધો માલ વેચી નાખ્યા અને પછી પિતાને સ્થાને પાછો ફર્યો. પછી સમય જતાં પરિણામ એ આવ્યું કે વધારે ભાર લાદવાને લીધે પેલા ઊંટેનું હૃદય તૂટી ગયું અને વિશેષ પીડા થવાને લીધે તે બધા ય ઊંટે મરી ગયા. આ રીતે તે શેઠને આ ભવમાં જ પ્રત્યક્ષ અનર્થ થયે. એ રીતે અતિભાર ભરવાને અતિચાર થયે. હવે ખાનપાન ન આપવાને અતિચાર આ પ્રમાણે છે. ગંધાર દેશમાં પંડયા નામના ગામમાં ધર નામે એક વાણિયે શેઠ રહે છે. એણે શ્રાવકના આગવતે લીધેલાં છે અને તે પિતાની દુકાને બેસી વેપાર કરી પિતાનું ગુજરાન ચલાવે છે. એને એક એમિલ નામે નેકર છે. જ્યારે વાણિયે દુકાને બેઠા હોય ત્યારે એ નેકર તેને પાણી વગેરે લાવી આપી તેની સહાયતા કરે છે અને ઘરનું કાંઈ કામકાજ હોય તે તે પણ એ નકર બજાવે છે તેમજ ઘરે આંટાફેરા ખાય છે. એક વાર દુકાળ પડ્યો. લેકએ સંઘરી રાખેલાં નાણાં અને અનાજ એ બધું ખલાસ થઈ ગયું. ધાન્ય મધું થઈ ગયું. સીમાડે રહેનારા લેકે ભારે કષ્ટમાં આવી પડ્યાં અને શાક પાંદડા ખાઈને જીવન રક્ષવા લાગ્યા. બીજે કઈ સમયે એક કઈ ગામડીયે ત્રણ દ્રશ્ન લઈને ધર શેઠની પાસે આવીને કહેવા લાગે. આ ત્રણે દ્રમ્મનું ધાન્ય આપે. તેની પાસેથી ત્રણ સ્મ લઈને ધરે પિલા ખેમિલને કહ્યું: અરે ! આ ત્રણ દ્રમ્મનું જેટલું અનાજ આવે એટલું આને આપ. તે સાંભળીને એ ખેમિલે પિતાનું ચિત્ત સ્થિર ન હોવાથી પિલા ગામડિયાને ચાર દ્રમ્પનું ધાન્ય આપી દીધું અને એ ધાન્ય લઈને પેલે ગામડિયે ચાલે ગયે. જ્યારે સાંઝ પડી ગઈ અને આખા દિવસની આવક જાવકને હિસાબ કરવાનો સમય થયે ત્યારે પેલે ધર વાણિયે ખેમિલી સાથે નામું કરવા બેઠે. પણ હિસાબ મળે જ નહીં. એક દ્રમ્મ ખુટ્યો અને દાણા પણ ઓછા દેખાયા. આ જોઈને નેકરને પૂછ્યું. તે પેલા ગામડિયાને કેટલું અનાજ આપ્યું હતું ? મિલે કહ્યું : ચાર કમ્પનું અનાજ આપ્યું હતું. આ સાંભળી પેલે ધર બે : રે પાપી ! હું લુંટાઈ ગયે. એ રીતે ધરને વિશેષ રિષ આવ્યું એટલે તેને ખાવાપીવાનું આપવું બંધ કર્યું : પેલો મિલ બહુ ભૂખે રહ્યો અર્થાત્ ભૂખ્યા રાખવામાં આવ્યું તેથી મરણ પામે. એ પ્રમાણે ખાનપાનને અટકાવી રાખવાને અતિચાર થશે. ૨૦ "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy