SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મયણસુંદરી પરત્વે શિવદેવને પ્રગટેલ અનુરાગ : કથાન–કાશ : છતાં એકમાં એ સ્વાભાવિક છે અને બીજામાં બનાવટી છે એ હકીક્ત, તે બંને પ્રકારના માણસને જેવા માત્રથી શી રીતે જાણી શકાય? - રાજાનું આ વચન સાંભળીને એ મંડળીમાં રહેલાં સભ્ય બેલ્યાઃ હે દેવ! તમે એમ કેમ પૂછો છો? રાજા છે. આ બંને અમાત્યપુત્રોની સ્થિતિ-રીતભાત પ્રત્યક્ષ જુએ તે એ હકીકત માલૂમ પડશે. જન્નદેવમાં જે ગુણસંપદા છે તે, તેની જાણે સહજ હોય એમ જણાય છે અને એના નાના ભાઈમાં જે ગુણસંપદા છે તે જાણે રાંકના શણગારની શેભા જેવી બનાવટી હોય એમ ભાસે છે અર્થાત્ નાનાની ગુણસંપદા તેનામાં બરાબર ભળતી આવતી નથી. જેમના પિતા અને માતા એક છે–સમાન છે તથા બીજી બધી શિક્ષણ સામગ્રી પણ સમાન છે છતાં તેઓ વિલક્ષણ આચારવાળા થયા છે અથવા બેરડીમાં થનારા કાંટા કેટલાકએક સરખા હોય છે અને કેટલાક વળી વાંકાચૂંકા હોય છે તેમ આ બધું કઈ રીતે બનતું જણાય છે. એ રીતે જન્નદેવ ઉપર રાજાને ઘણે નેહ થયેલું હતું અને તેના નાનાભાઈ ઉપર તે દેખાવને સ્નેહ હતો. હવે તે જ નગરીમાં મહીધર નામના સેનાપતિને મયણસુંદરી નામે દીકરી હતી. તે જુવાન થયેલી હતી છતાં તેને એગ્ય વર નહી મળવાથી તે હજુ સુધી કુંવારી જ રહેલી હતી. એક વાર તે છોકરી પોતાના ભવનના ગેખમાં બેઠેલી હતી. પેલે શિવદેવ એક વાર રાજભવન તરફ જતા હતા ત્યારે તેની નજર પેલી છોકરી ઉપર પડી. તેણી તરફ અનુરાગપૂર્વક જે પછી પિતાના માણસને પૂછ્યું: અરે ! પિલી કોણ છે? તે બોલેઃ સેનાપતિની કરી છે. શિવદેવ બોલ પરણેલી છે કે કુંવારી છે? તે બલ્ય હજુ સુધી તે કુંવારી છે પરંતુ તેને માટે હમણ વરની શોધ આદરપૂર્વક થવા માંડી છે. એટલે હવે તેણે થોડા જ સમયમાં યા આજ કાલમાં પરણી જશે. પછી તે એ શિવદેવને એ છોકરી ઉપર વિશેષ અનુરાગ થયો અને તેના તરફ હદય આકર્ષાયું એથી જ્યાં સુધી એને મેળવવાને ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી શિવદેવે ખાવાપીવાનું તજી દીધું, શણગાર સજે છોડી દીધું અને એકાંતમાં જઈ તે, પથારી પાથરીને સૂઈ ગયે. જમવાનો સમય થતાં અમાત્યે પૂછ્યું: શિવદેવ કેમ નથી આવ્યો? અમાત્યના કરમાંથી કેઈએ જણાવ્યું–ખબર નથી પરંતુ કેઈ કારણને લીધે તે એકાંતમાં સૂતેલે જણાય છે. પછી અમાત્ય પિતે તેની પાસે ગયા અને મીઠાં વચનો બેલી તેની સાથે વાત કરવા લાગે છે પુત્ર! તું આમ કેમ જાણે કે શેકાતુર જેવો દેખાય છે? તારું હૃદય જાણે કયાંય ખેંચાઈ ગયું છે, હરાઈ ગયું છે એ તું કેમ જણાય છે ? જે ખરું કારણ હેય તે કહે છે, શરમને લીધે કાંઈ કહી શક્યા નહીં. પછી તેના મિત્ર મારફત એ બાબતની પૂછપરછ કરવામાં આવી અને એ રીતે તેણે ખરી હકીકત કહી દીધી. એ હકી "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy