SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ : કથાર--કેશ: રાજપુત્રને જીવંત કરવા માટે સુલસે કરેલું ઉપચાર ૧૪૦ નિમંત્રણ આપી એ પિતાના પ્રવાસે ઊપડ્યો. અનુક્રમે પિતાની નગરીની આસપાસ આવતાં તેણે દિશાઓને પણ બહેરી કરી નાખે એવાં વિષમ વાજાં વાગતાં સાંભળ્યાં તથા વિશાળ પાલખીમાં મૂકેલું એક મડદું ચાલ્યું આવતું જોયું. એની પાછળ નગરનાં મહાજનોને ચાલતાં જોયાં. દુઃખને લીધે શોકયુકત રાજાને આગળ ચાલતે જે અને પાછળ ભારે શેકને લીધે જોર-જોરથી રેતી-કળતી-વિલાપ કરતી રાણીઓ અને તેના પરિવારને જે. આ જોઈને પેલા સુલતે કોઈ એક પુરુષને પૂછ્યું: હે ભદ્ર! આ શું છે? તે બે રાજાને આ પ્રથમ પુત્ર છે. તેને યુવરાજના પદ ઉપર બેસાડવા સારુ રાજાએ આ જ રીતે પિતાની પાસે બેલાવે અને કહેલું કે “હે પુત્ર! તું યુવરાજની પદવીને સ્વીકાર, રાજ્યની સારસંભાળ કર. આ રીતે છેડે થેડે તમારી જેવા ઉપર આ રાજ્યને ભાર શેંપીને હું મારો ભાર ઓછો કરવા ધારું છું અને માથેથી ભાર ઉતારી નાખેલા મજૂરની પેઠે વીસામે લેવા ઈચ્છું છું.” પછી “જેવી દેવની આજ્ઞા” એમ કહીને એ રાજપુત્રે પિતાના પિતાનું વચન સ્વીકાર્યું અને તેમની પાસેથી વિદાય લઈ એ રાજપુત્ર પિતાને સ્થાને પહેરશે. પછી તે પિતાના શયનાગારમાં કઈ જાતની પ્રામાદિક ચેષ્ટાવડે સૂતો અને સૂતાં જ ઝેરના વિકારને લીધે તેના શરીરની બધી ક્રિયાઓ થંભી ગઈ તેમ થતાં તે શરૂઆતમાં ડું બબડ્યો અને પછી રાતના પાછલા પહોરે મંત્રવાદીઓ અને તંત્રવાદીઓ દ્વારા તેના ઉપર કેટલાય ઉપચારો કરવામાં આવ્યા છતાં ય તે નિશ્રેષ્ટ થઈ ગયું અને કાણ જે જડ બની ગયો. પછી તે પ્રભાત સમય થતાં એ મંત્રવાદીઓ કે તંત્રવાદીઓ કેઈની ય કારી ન ચાલી એટલે “હવે આને કેઈ ઉપચાર નથી” એમ કહીને તેમણે તેને છોડી દીધો અને આખરે હવે તેને અગ્નિસંસ્કાર માટે મસાણમાં લઈ જવામાં આવે છે. આ બધું સાંભળી સુલશે વિચાર કર્યો અહે ! આ તો ઘણું જ અસુંદર કહેવાય. આ મહાનુભાવ રાજપુત્ર આ રીતે મરણ પામે એ ઠીક ન ગણાય, માટે એની પાસે જઈને દેવે આપેલી વીંટીના રતનનો ઉપયોગ કરી તેને સાજો કરું અને એટલીવાર આ શકાતુર બનેલા રાજા વગેરે મોટા મોટા મહાજનને આશ્વાસન આપું. એમ વિચારીને તે રાજાનીપાસે ગયા અને બેલવા લાગે છે દેવ ! તમે આ રાજપુત્રને મને દેખાડે, હું પણ મારી વિદ્યાને તેના ઉપર પ્રયોગ કરી તેને સાજો કરી શકું તે કરી દઉં. રાજા બેઃ હવે કઈ પણ વિદ્યાને પ્રયોગ કરવાથી શું ? મંત્રીઓએ રાજાને કહ્યું હે દેવ! એમાં શું બટું છે? ભલેને એ પણ એની વિદ્યાને અજમાવે, એને રાજપુત્રનું મુખ બતાવે. સંભવ છે કે કદાચ એ વડે પણ આપણું કાર્ય પાર પડી જાય. આ કહેવત પ્રસિદ્ધ છે કે “જે કામ મોટા લોકેને સાધ્ય નથી તેને નાને માણસ જ ઘણીવાર કરી શકે છે.” રાજા બેઃ તે એમ કરે. પછી તો સુલસને રાજપુત્ર બતાવ્યું. તેણે પણ વીંટીના રતનને પાણીમાં બળી બળી એ પાણી તેના ઉપર છાંટવા માંડયું. સૂતેલા રાજપુત્ર ઉપર એ "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy