SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - ૧૩૭ : કથા રત્ન-કેરી : સુલસે શરૂ કરેલ ક્રયવિક્રય પછી વળી, ધુતારા લેકની શીખવને લીધે પેલી સ્ત્રી શેઠને કનડવા લાગી કે મારી આજીવિકાનું શું? મારા જીવનની ચિંતા તમારે કરવી જોઈએ, એ માટે તમે તત્પર રહે. એમ કહ્યા કરતી એ સ્ત્રી, રોષે ભરાયેલી દુર ભૂતડીની પેઠે શેઠની પુઠ મૂકતી જ ન હતી. વળી, શેઠ ફરી વાર રાજકચેરીમાં પહોંચ્યા અને રાજાને બધી હકીકત કહી સંભળાવી. પછી રાજા બે. હે મહાયશ ! એ રાંક સ્ત્રીને એની જીવિકા જેટલું તે મળવું જ જોઈએ ને? હેમપ્રભ શેઠ બેલ્યાઃ “દેવ! એ વાત તમારી ખરી છે પરંતુ હું ઘરવાસમાં રહેવાની ઇરછા રાખું તે એની આજીવિકાની ચિંતા જરૂર કરું, પરંતુ મેં તે અહીં આવે ત્યાર પહેલને વનવાસમાં જવાનો સંકલ્પ કરે છે. કેવળ, આ નેકરે કરેલા ઉપકારને બદલે વાળ હતું એટલા માટે જ હું ઘરે આવ્યો હતે, હવે તો મારું ધાર્યું બધું થઈ ગયું છે એટલે મેં કરેલા સંકલ્પ પ્રમાણે વનમાં જવાને ઉદ્યમ કરનાર છું. આ સાંભળીને રાજાએ ન્યાય કરવા માટે અંગિરસ અને વસિ વગેરે પૌરાણિક તપસ્વીઓ તરફ નજર કરી. ઇગિત અને આકાર પારખવાને કુશળ એવા તેઓએ રાજાને કહ્યું છે મહારાજ ! પુરાણમાં આ પ્રમાણે કહેલું છે – સ્ત્રીને પતિ મરી ગયો હોય, પ્રવાસે ગયે હોય, દીક્ષા લેવાની ઈચ્છાવાળો હોય, પતિત થઈ ગયો હોય તે એવા પતિ પાસે સ્ત્રીનું પિષણ ન કરાવી શકાય અર્થાત એ પતિ લાંબા સમયથી પરણેલી સ્ત્રીને તજી દે તે પણ તેની પાસે સ્ત્રીનું પિષણ ન કરાવી શકાય-એવા પતિ પાસે સ્ત્રી, કશે હક્ક ન માગી શકે રાજાએ એ તેડને “ડીક” કહીને સ્વીકાર્યો. પેલી સ્ત્રીને શેઠ પાસે માગતી અટકાવી એટલે તેણે તે પિતાના પુત્ર પાસે પહોંચી અને હેમપ્રભે તે તાપસ દીક્ષા સ્વીકારી.. પેલે સુલસ પણ ઘર અને માલમત્તાનો અડધો ભાગ પાસે, તે પિતાને ગ્ય સ્ત્રીને પર અને લેવડદેવડ કરીને-વેચવું ખરીદવું વગેરે પ્રવૃત્તિ કરીને પિતાને વ્યવહાર ચલાવવા લાગ્યો અને અત્યંત વિયગુણને લીધે વિશેષ પ્રખ્યાતિ પામે. હવે એક દિવસે તે કાંઈ લેવડદેવડના કામને માટે ગામતરે ગયો. અધવચમાં કઈ જલાશય પાસે તેણે પડાવ નાખે, ભજન રંધાવ્યું, તૈયાર થતાં તે, ભેજન કરવા માટે તૈયાર થયે. બરાબર એ જ સમયે તે સ્થળના વનકુંજમાં રહેનાર ગુણીયર નામે તપસ્વી ચિમાસી તપના પારણુ માટે ભિક્ષા લેવા તે સ્થળે આવી પહોંચે. એ તપસ્વી ઉગ્ર તપ કરતા હતા અને ખાસ ખાસ ઉગ્ર તપ કરીને એણે પોતાનાં લાંબા કાળનાં દુષ્કર્મનાં પંકને સૂકવી નાખેલ હતું. ત્યાં જંગલમાં એ સાધુને દુષ્ટ જંતુઓ પીડા કરતા હતા છતાંય તે પિતાના સત્વને લીધે લેશ પણ પિતાના ધ્યેયથી ચલાયમાન થતો ન હતો –ભયને લીધે એને દેહ પણ જરા ય કંપતો ન હતો. વળી કાત્સર્ગ વગેરે દુષ્કર ક્રિયાઓ કરવામાં પરાયણ ૧૮ "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy