SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ હેમપ્રભ શ્રેષ્ટિએ કરેલ દ્રવ્યેાપાન : થારત-કાશ : તથા સારમૈયથી શોભિત છે. વળી, કોરવવશના વિજયધ્વજ સમાન એવા વીરવિજય નામે મહારાજા પેાતાના ભુજ પરિઘના બળથી એ નગરીની એવી રીતે રક્ષા કરે છે જેથી કાઈ પણુ પ્રતિપક્ષી રાજા સ્વપ્નમાં ય એ નગરી તરફ પોતાની નજર પણ કરી શકતે! નથી અને હમેશાં એ નગરી તરફ બધા દેવે અનુકૂળ હાવાને લીધે દેવેશના પ્રભાવથી એ નગરીમાં કૉદુકાળનું દુઃખ આવ્યું. જ નથી. એવી એ નગરીમાં હેમપ્રશ્ન નામે વાણિયા રહે છે. એ વાણિયાને ત્યાં પોતાના વડવાઓના સમયનેા વહાણવટાને મેટ્રો ધમધોકાર વ્યવસાય ચાલે છે તથા એ હેમપ્રભ શેડમાં પાપકાર કરવાની વૃત્તિ વગેરે અનેક ગુણા પણુ છે. એ શેઠને સુલક્ષણા નામની એક ઘરધણિયાણી છે. તેમને તિયણુ નામે એક દીકરા છે અને ઘરનાં બધાં ય કામકાજોની સંભાળ કરવામાં કદી પણુ આળસ ન કરે એવા એક સુલસ નામે નેકર છે. એ બધાં પોતપોતાને સોંપેલાં કામ કરવામાં સાવધાન થઈને વતે છે અને એ રીતે તેમના દિવસે વીતે છે. હવે એક વાર હેમપ્રશ્નને તેની સ્ત્રીએ કહ્યું: હું આર્યપુત્ર ! રાજને રાજ જેમ ઇચ્છામાં આવે તેમ ભાગે ભાગવવા માટે અને ઉપભોગા માણવા માટે ખર્ચવામાં આવતુ આપણું ધન હવે છૂટી જવા આવ્યુ છે એ શું તમે જાણતા નથી ? એ જ રીતે માપી શકાય નહીં એવે આપણા જે માટા બધા ધાન્યને ફાઠાર હતા તે પણ હવે ખાલી થઈ જવા આવ્યે છે તે પણ તમારા લક્ષ્યમાં નથી ?. વળી, તમે જે જે રકમ વ્યાજ મેળવવા માટે ધીરધારમાં રોકી રાખી છે તેને પણ દુષ્ટ લાકે વ્યાજ કે મુદ્દલ ન આપીને ઘાસની પેઠે વણુસાડી રહ્યા છે તે પણ તમારા ખ્યાલમાં નથી આવતું? આ બધી પેાતાની પત્નીએ કહેલી વાત સાંભળીને હેમપ્રભુને વિચાર થયે કે અહેા ! આ સ્ત્રી છે છતાં તેની બુદ્ધિ, કેટલી બધી તીવ્ર છે કે જે ભવિષ્યના પરિણામના વિચાર કરી શકે છે. હજી તે આ જુવાન છે છતાં કેાઈ પીઢ મધુસખા પેઠે ઘરની ચિંતા કરી રહી છે. એની કહેલી ચિંતાની વાત બધી ખરેખરી અને વખતસરની છે. માટે હવે આળસ કરીને બેસી રહેવુ' તે યુક્ત નથી એમ વિચારીને તેણે ઘરનું બધું કામકાજ પેાતાની સ્ત્રીને ભળાવી દીધું અને જેવાં લેવાં જોઇએ તેવાં કરિયાણાંઓથી ભરેલા વહાણુમાં બેસીને તે, પેાતાના પુત્ર અને નાકરને સાથે લઈ ધન રળવા માટે ચેાડ દેશના પ્રવાસે ઉપડ્યો. ત્યાં પહેાંચી તેણે બધુ ય કરિયાણું વેચી નાખ્યુ. અને ઘણી સારી રીતે ધનની કમાણી થઇ. વળી પાછુ ઘણુ બીજું કરિયાણું વહાણુમાં ભરી તે, વહાણુમાં ચડી બેઠે અને અનુકૂળ પત્રનના સપાટાને લીધે સઢામાં હવા સારી રીતે ભરાઈ જવાથી વહાણુના વેગ વધતાં તે ઝપાટાબંધ મરિયે આવી પહોંચ્યા. એટલામાં એ સમયે— ૧. એ નગરીમાં રહેનારા ધનવાન લોકાની વખારા વા દુકાને માપી શકાય એવા ઉત્તમ પદાર્થાની ભરેલી છે અને એ નગરીના વતની પારધી અને હુ ધ લેકાના ઘરઆંગણામાં કૂતરાએ બાંધેલા છે. "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy