SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર પારાશરની કથાથી રાજા ભરતને થયેલ જાતિસ્મરણ જ્ઞાન : કથારન–કેશ : વાંદરે તેણીને ફળે વગેરે આપવા લાગે અને એમ કરતે કરેતો તે, તેણીના નેહડા સુધી જવા લાગ્યો. ત્યાં લેકે એ પેલા વાંદરાને ખૂબ બીવરાવ્યું તેથી તે પાછો વળે અને ભારે શકના આવેગને લીધે મરણ પામે. હવે એ વાંદરે, બનારસ નગરીની આસપાસના કેઈ ગામમાં બ્રાહ્મણના કુળમાં પુત્રપણે જન્મે, ત્યાં તેનું નામ દિન્ન રાખવામાં આવ્યું. વેદશાને ભણને તે બનારસમાં દક્ષિણ લેવા ગયું હતું એટલામાં ત્યાં તેણે ઘડપણથી ખળભળી ગયેલા દેહવાળી અને આંખેથી હવે ઓછું જોઈ શકતી એવી પિતાના પૂર્વભવની સ્ત્રીને ગંગાને કાંઠે અનશન લઈને પડેલી જોઈ. પૂર્વભવના સ્નેહને લીધે તેણે તેને પૂછયું : હે ભદ્ર! તું કેણ છે? અને અહીં આ રીતે અનશન લઈને કેમ પડી છે? એ ચંપાએ પિતાના પૂર્વભવથી માંડીને આજદિન સુધીની પિતાની બધી હકીકત તેને કહી સંભળાવી. તેને સાંભળતાં જ પેલા દિને જાતિસ્મરણ-પોતાના પૂર્વભવનું સમરણ-ચ, એથી તે, બેભાન બની ગયે, પરંતુ ગંગાના કાંઠા તરફથી આવતા હિમ જેવા ઠંડા પવનને લીધે તેના શરીરને શાંતિ મળતાં તે પાછો સચેત થઈ આ પ્રમાણે કહેવા લાગેઃ જે જે સુંદરી! હું તે જ કમનશીબ વિરેચન, બડે હરણ, વાંદરે અને હવે આ બ્રાહ્મણ છું તે હવે તું મને આદેશ કર કે હવે શું કરવાનું છે? પૂર્વના ગાઢ નેહને લીધે તેણી પણ બેલીઃ હે પ્રાણનાથ! મેં તે મારે જે કરવાનું હતું તે બધું જ કરી લીધું છે. હવે તે ભવાંતરમાં પણ મને તારું જ શરણ મળે એમ સંકલ્પ કરીને મેં અહીં અણસણ સ્વીકારેલું છે, તે હવે તારે પણ મારી જ પેઠે સંકલ્પ કરે જોઈએ. એ સાંભળીને “ઠીક' એમ કહીને એ દિન બ્રાહ્મણ તેની સાથે જ ત્યાં અણુસણ લઈને બેઠે. આ બધું જોઈને તેના બ્રાહ્મણને) સ્વજનેએ તેને ભારે તકલીફ આપી એથી બ્રાહ્મણને એમ લાગ્યું કે આ જગ્યામાં રહેવાથી વિઘો થશે માટે તે, પડીને મરી જવા સારુ. ભૈરવજપ તરફ ચાલે. ત્યાં પહોંચી દેવ અને ગુરુનાં ચરણનું સ્મરણ કરી તેણે, મેટી શિલાની પેઠે પિતાની જાતને ત્યાંથી પડતી મેલી એટલે તે મરી ગયો. પિલો પારાશર આ બધી વાત કહેતે હતો અને રાજા ભરત સ્થિરચિત્તે મૂળથી માંડીને બધી વાત સાંભળતે હતો એવામાં રાજાને મૂછ આવી ગઈ એટલે તત્કાળ ઠંડા ઠંડા ઉપચારે દ્વારા સેવકેએ રાજાની સેવા કરી, એથી તે ભાનમાં આવ્યું. પછી તે મનમાં વિસ્મય પામીને તેને પારાશરે પૂછયું હે દેવ! આ શું થઈ ગયું? રાજા બે હે ભદ્ર! તે મારું બધું પૂર્વભવનું ચરિત્ર શી રીતે જાણયું? પારાશર બેઃ હે દેવ! મેં તમને પહેલાં જ જણાવેલું હતું કે મને દેવનું વરદાન છે. તમે મને કઈ નવી કથા કહેવાનો આદેશ કરેલો એટલે મેં આ બધી કથા કહી સંભળાવી છે, પરંતુ આ બધું તમારા પૂર્વભવનું ચરિત્ર છે એ હું જાણતો નથી. મારા ઉપર પ્રસન્ન થયેલી દેવીએ મને એવું વરદાન આપેલું છે કે જે માણસ મને કથા કરવાનું કહે અને એને હું ગમે તે કથા કહી સંભળાવું તે, "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy