SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 1 કથાર-કેશ 1 મ્લેચ્છ રાજના ત્રાસથી બચવા પ્રજાએ ભરત રાજવીને કરેલ પ્રાર્થને ૧૨ વિસામે લીધે. “રાજા આવી ગયા છે એમ જાણી તેના બધા નેકરચાકરે અને ખુશામતિયા લેકે ત્યાં આવી પહોંચ્યા. નગરમાં પણ રાજા આવ્યાની વાત બધે ફેલાઈ ગઈ અને નગરમાં ઉત્સવ શરુ થયો. રાજા ભરત રત્નાન-ભજન વગેરેને પતાવીને ઘરેણાંગાંઠા પહેરી સજી થઈ સભામંડપમાં આવીને બેઠે. રાજા ઘણા લાંબા સમયે આવ્યા તેથી તેના દર્શનના કુતૂહલથી મંત્રીઓ, સામંતો અને નગરના મહાજન સાથે યુવરાજ મહીચંદ પણ ત્યાં આવ્યું. પોતાના પિતાને પોતાના પાંચ અંગે પગે લાગીને યુવરાજ પિતાની પાસે બેઠે. રાજા પણું સ્નેહભરી પ્રશાંત નિર્મળ આંખ પસારીને બધા તરફ અનુગ્રહભરી નજરથી જોઈ તેમને પૂછવા લાગે બધે રાજલક કુશળ છે ને ? પ્રજાજનોને બરાબર પ્રસન્ન રાખવામાં આવે છે ને ? રાજ્યનાં તમામ કામકાજ નિર્વિદને સિદ્ધ થાય છે ને? યુવરાજ બે હે દેવ ! તમારાં ચરણેની કૃપાથી એ બધું બરાબર ચાલે છે. પછી ડાક સમય ગયા પછી સામતો વગેરેને રાજાએ વિદાય આપી અને એકાંત થતાં મંત્રીઓએ રાજાને વિનંતી કરી: હે દેવ ! કૃપા કરીને કહે કે આટલા લાંબા સમય સુધી આપ કઈ દિશાને શોભાવતા હતા? શું કામ કરવું નક્કી કર્યું હતું તેવા શું કામ સાથું? આ સાંભળીને રાજાને એમ થયું કે હાય ! હાય! હું મારી પોતાની જાતની વાત કરી આત્મશ્લાઘાનું પાપ કેમ કરું? એમ ધારીને રાજા શરમને લીધે પિતાની બન્ને આંખો વીંચી ગયો અને કિંકર્તવ્યમૂઢ જે બની આમતેમ ચારે બાજુ જેવા લાગે એટલામાં દ્વારપાળે આવીને રાજાને વિનંતિ કરી કે હે દેવ ! હાથમાં કાગળ લઈને આવેલું એક માણસ તમને મળવા ઈચ્છે છે. રાજા બેઃ તેને જલદી અંદર લાવ. પછી દ્વારપાળ પિલા કાગળવાળા માણસને રાજા પાસે અંદર લઈ ગયે. તે રાજાને પગે પડ્યો અને યુવરાજે લેખ વાંચી બતાવ્યું. એ લેખ આ પ્રમાણે હત-સ્વરિત, શત્રુના નગરને બાળવામાં ત્રિપુરારિ શંકરસમાન, પિતાનાં ઉદાર ચરિત્રેને લીધે નલ, નઘુષ વગેરે પોતાના પૂર્વ રાજાઓને ભુલાવી દેનારા એવા શ્રી ભેગપુર નગરના પરમેશ્વર શ્રી ભરત મહારાજાને કાલિંજરની આસપાસના ગામમાં રહેનારી પ્રજાનાં પંચે જમીન ઉપર માથું અડે એ રીતે વિનયપૂર્વક પ્રણામ કરીને વિનંતિ કરે છે. કે–વા જેવી જબરજસ્ત તમારી બને ભુજાઓના મંડપમાં અમે આશ્રય લીધેલ છે છતાં ય અમને, પલ્લીના ગઢના જોરે ગર્વિષ્ઠ બનેલે ભીમ નામને સ્વેચ્છરાજ હેરાન કરે છે, એથી એમ ચિક્કસ જણાય છે કે તેને વિચાર રાજધાનીને તાબે કરવાનું છે અર્થાત્ આપની રાજધાની ઉપર હલે લઈ આવવાનો છે, માટે તે સ્વેચ્છરાજને હમણું ને હમણાં તેના એ અપરાધનું ફળ મળી જાય એમ કરવું જોઈએ. એ પ્રમાણે કાગળને બધે મતલબ રાજા સમજી ગયું અને તેને ભારે રોષ ચડી આવ્યા, તેનાં ભયાનક ભવાં ખેંચાઈ ગયાં. ભીમને ઉદ્દેશીને એ બેલવા લાગ્યો. પિતાનું કેટલું બળ છે? એ રીતે પિતાની જાતને જ નહીં જાણનારા અતિ છકેલા એ ઑરછને "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy