SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રાજરાણીને ગુમ થયેલ એકાવલિ હાર ઃ કથારન-કેશ: બાલચંદ પિતાના કામકાજ માટે પિતાને ઘરે ચાલ્યા ગયે એથી ધનપાલ પણ પિતાના ઘરના કામકાજમાં ગુંથાઈ ગયો અને તેના મિત્રને પેલી હારવાળી કહેવાની વાત તદ્દન વીસરી જ ગયે. આ બનાવ બન્યા પહેલાં ત્યાં તે નગરમાં એક બીજો બનાવ આ પ્રમાણે બની ગયે. તે નગરના રાજાની પટરાણુ અંતઃપુરના પ્રમદવનની તળાવડીનાં કાંઠે પિતાના બધાં ઘરેણું મૂકી સ્નાન કરવા લાગી. એ વખતે તેણે પિતાને તારાઓની જે ચમક્ત એકાવલી હાર પણ ત્યાં ઘરેણાં સાથે મુકેલે. એ હારને ધોળો સર્પ સમજી સમળી પિતાની ચાંચ દ્વારા ઉપાડી ગઈ અને તે, જ્યાં જે ઝાડ ઉપર પિતાનો માળો બાંધ્યો હતો ત્યાં ચાલી ગઈ. હવે પેલી રાજાની પટરાણી છેડીકવાર તળાવડીમાં જળક્રીડા કરી પોતાની બધી દાસીઓ સાથે તળાવડીમાંથી બહાર નીકળી તેને કાંઠે આવી પહોંચી, ત્યાં પહોંચતાં જ બીજાં બધાં ઘરેણું તેને મળી ગયાં પરંતુ એકાવલી હારને તેણે જે નહી એથી તે ઘણું આકુળવ્યાકુળ થઈ આમ તેમ બધે જોવા લાગી. અમદવનમાં રખેવાળાને હાર ગુમ થયાની વાત કરી. તેઓએ આખા ઉદ્યાનમાં અને આસપાસ સારી રીતે તપાસ કરીને કહ્યું હે દેવી ! કેઈ આકાશમાં ઊડનાર આ હાર લઈ ગયું હોય તે ભલે પરંતુ કાંઈ પણ ભૂચર-જમીન ઉપર ચાલનારે તે આ હાર લીધે લાગતું નથી. દેવી જ્યારે અમદવનની તળાવડીમાં કીડા કરવા આવે છે ત્યારે રાજપુત્ર વગેરેને સુદ્ધાં અહીં આવવાની સખત મનાઈ છે તે પછી બીજે કઈ સાધારણ માણસ તે અહીં આવી જ કેમ શકે ? પછી તે હાર ચોરાઈ જવાને લીધે રાણીને ઘણું જ શેક થયે, તેણે ખાવાપીવાનું પણ તજી દીધું અને એક પથારીમાં જઈને તે ચેતીપાટ પડી સૂઈ રહી. તેનું મોઢું ઢીલું પડી ગયું. સખીઓ સાથે વાતચીત સરખી પણ તેણે છોડી દીધી અને જાણે કે સુનીમુની થઈ ન હોય તે રીતે તે ત્યાં નિશ્ચળપણે પડી રહી. દાસીઓએ રાણીની એ પરિસ્થિતિની વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પ્રધાન પુરુષો મારફતે રાણીને કહેવરાવ્યું. એ શા માટે આવા ઉગમાં પડી છે? હું તે પ્રથમ પ્રયત્ન કરીશ કે જેથી યમરાજ લઈ ગયે હશે તે તેની પાસેથી પણ વિના વિલંબે હાર લાવી શકાશે. એ પ્રમાણે હારની શોધખોળ માટે અનેક પ્રયત્ન કરવા માંડ્યા. રાજાએ નગરીમાં ઢોલ વગાડીને પણ બધે જણાવી દીધું કે—જે કેઈ હારની ચેરી વિશે થેડી પણ બાતમી આપશે તેને રાજા સોળ હજાર સોનૈયા નિશંકપણે આપશે. રાજાની એ ઘેષણની વાત બાલચંદે સાંભળી. તેણે વિચાર કર્યો કે, ખરેખર પિલા દેશાંતરથી આવેલા પુરુષ, કઈ પણ રીતે રાજાની રાણીને હાર ચોરી લીધે હવે જોઈએ અને પછી તેણે છાની રીતે ધનપાલને આપેલે હવે જોઈએ, એમ ન હોય તે એ હાર લેતી વખતે મને પણ તેણે દૂર કેમ રાખે? માટે આ બધી વાત રાજાને કહી દઉ અને "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy