SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ : કથાન-કેશ : મેં મારી બહેનને આપેલ આશ્વાસન ૧૦૬ આંસુઓની ધારા ચાલતાં ભીની થયેલી આંખેવાળી તે ગળગળી થઈને બેલીઃ હે આર્યપુત્રી એ ઘણી લાંબી કથા છે અને કહેતાં કહેતાં પણ ભારે દુઃખ થાય છે પરંતુ તમારે આટલે બધો આગ્રહ છે તેથી કહું છું: આ જ ગામના કાયમના રહેવાસી પુરંદર સાર્થવાહની હું દીકરી છું. સજજનેને ન ગમે એવું મારું નામ રામાં છે. મેં મારા વિભવ કુળને કલંક લગાડેલું છે. એક વાર ભયાનક દુકાળ પડ્યો, મારું આખું ય કુળ મરી પરવાર્યું ત્યારે હું અભાગણને એકને એક મોટો ભાઈ રામદેવ દેશાવરમાં ગયે. હું ઘણી નાની હતી અને મને પાળી–પષીને મિટી કરે એ કઈ મનુષ્ય મારા કુળમાં રહ્યો ન હતો તેથી મને અહીંની કેઈ એક ઘરડી વેશ્યા લઈ ગઈ, ઘણા પ્રયત્ન કરીને તેણે મને ઉછેરી મટી કરી. વેશ્યાઓ કરે તેવા સંગીત અને નાચ વગેરે કળાઓ શીખવીને તેમાં કુશળ કરી અને પરિણામે હું વર્તમાનમાં આ પ્રમાણે મારું જીવન ચલાવું છું તથા મારા કુળમાં વજસમાન એવા મારા મોટાભાઈને આજે પણ યાદ કર્યા કરું છું. આ બધી મૂળથી માંડીને સાંભળ્યા પછી મારા મનમાં ભારે ખેદ થયે, હું એને ઓળખી. પણ ગયું અને મેં મારી બહેન સાથે ભેગ ભેગવવાને વિચાર કર્યો ” એ અકાર્યનું ભાન થતાં અને ભારે સંતાપ થયે. મારું આખું ય કુટુંબ નાશ પામી ગયું એ મને સાંભરી આવતાં હું મારે માથે કપડું ઓઢીને પિકે મૂકીને રડવા લાગે. “હાય હાય આ શું થયું ?” એમ વિચારતી મારી બહેન ભારે ખેદ પામી અને મને આગ્રહ કરીને પૂછવા લાગી. તે ખૂબ પૂછવા માંડી ત્યારે મેં તેને આદર સાથે મારી બધી હકીક્ત કહી સંભળાવી. સાંભળ્યા પછી તે પણ તે સમયની અમારી અનુચિત વાતચિત સંભારીને ભારે દુઃખી થઈ અને કુળનાં બધાં મરી ગયેલાં માણસને સંભારી સંભારીને રોતાં રેતાં મૂરછ આવી જતાં તેની આંખો મીંચાઈ ગઈ અને કુહાડાથી કપાયેલી કેળની પિઠે તે જમીન ઉપર ઢળી પડી. એમ થયું કે તરત જ તેની બધી દાસીઓ આદર સહિત ત્યાં દેડી આવી. તેના ઉપર ઠંડા ઉપચાર કર્યા પછી તેને ભાનમાં આણી, પછી મેં એ મારી બહેનને કહ્યું. તું ધીરી થા, શેકના આવેશને તજી દે, આમાં તારે કે બીજા કેઈને શે અપરાધ છે? - - જે પુરુષ ભારે સાહસી હેય, ભારે વ્યવસાયશીલ હોય, નીતિમાં કુશળ હોય છતાં પૂર્વભવે કરેલાં દુષ્કૃત કર્મોને મહાનટ પછવાડે પડીને નચાવતા હોય તો તે સાહસી પુરુષ પણ શું કરી શકે? વળી હે બહેન ! તારી પણ આ જાતની કુળને કલંકિત કરનારી દશા પણ સંભવે ખરી? કર્મને વિવિધ વ્યાપાર કેઈથી સમજી શકાતે જ નથી. તું આવી અવસ્થામાં આવી પડી એ સમયે વળી મારે અને તારો ભેટે કેવી રીતે થઈ ગયે? જે ઘટના ન ઘટી શકતી હોય તેને પણ ભાગ્યનું ચક ઘડી નાખે છે, એ વાત કે જાણું શકે? મને લાગે છે કે આ પ્રકારના દૂષિત પ્રયજન માટે આપણે બન્નેને ભાગ્યચકે જ અહીં આણેલાં છે, જન્માવ્યાં છે અને જીવાડ્યાં છે. "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy