SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પશુન્ય સંબંધે ધનપાલ અને બાલચંદ્રનું કથાનક (૩૧) છે જે પુરુષના મનમાં પિનવૃત્તિ ન હોય તે જ, ઇદ્રિ ઉપર વિજય મેળવી હજી શકે છે, માટે હવે પિશુનવૃત્તિને દૂર કરવાનાં કારણે વિશે અહીં કાંઈક કહેવાનું છે. પિતાના બાપના પણું જે દેશે સત્ હોય-સાચા હોય અને જે દેશે અસત હેય-સાચા ન હોય તે બધાને વધારી વધારીને કહેવાની જે જે ટેવ હોય તે માણસ પિશુન” કહેવાય. એવા પિશુનને જે સ્વભાવ તેનું નામ શિન્ય અર્થાત સંકલેશવાળાં મન અને વચનની પ્રવૃત્તિ એ પશુન્યની ટેવ નીતિના ચંદ્રને માટે રાહુસમાન છે, ઉત્તમતાના હંસને માટે જેમાસાની મોસમ સમાન છે, કરુણાના હરણને માટે સિંહ સમાન છે, સદ્ધર્મની જમીનને ખેદી નાખવા માટે હળ સમાન છે, દાક્ષિણ્યના મદનને માટે મહાદેવ સમાન છે, પિતાના કુળની મર્યાદાની કમળવેલ માટે હિમપાત સમાન છે અર્થાત્ જ્યાં પશુન્ય હોય ત્યાં નીતિ, ઉત્તમતા, કરુણા, સદ્ધર્મ, દાક્ષિણ્ય અને કુળની મર્યાદા વગેરે ગુણે ટકી શકતા જ નથી; માટે નીતિવિશારદ લેકે પશુન્યના સંબંધને સર્વથા અપમાનપાત્ર લેખે છે, પશુન્યના સંબંધથી દૂર રહે છે. જે લોકોના મનમાં પશુન્યવૃત્તિ ભરેલી હોય છે તેઓ રાતદિવસ બીજાના દેને જ જોયા કરે છે અને એમ કરવા જતાં તે મૂઢ લેકે પિતાના કાર્યને બગાડ થાય છે તેને પણ સમજતા નથી. પિશુનવૃત્તિવાળે માણસ કૂતરા કરતાં પણ નઠારે છે. તરો બીજે ભલે ભસતો હોય પરંતુ ઉજળા વેશવાળા અને પિતાના પાલક ચિરપરિચિત માલિક તરફ તે તે કદી ભસતો જ નથી. એટલે પિશુન માણસ કરતાં કૂતરાને પણ ગુણવાળે કહેલ છે. જે માણસ પોતામાં પૈશુન્યવૃત્તિને કેળવી બીજાના દોષોને જ કહ્યા કરે છે તે માણસ અપમાનનું અને આકાશનું પાત્ર બને છે, તથા અત્યંત તીવ્ર વૈરનું સ્થાન બને છે. પશુન્યવૃત્તિને તજી દેવાથી ગુણો પ્રગટે છે અને વૈશુન્યવૃત્તિને નહીં તજવાથી દેશે પેદા થાય છે. આ માટે ધનપાલ અને બાલચંદ્ર એ બંનેનાં ઉદાહરણે સુપ્રતીત છે. તેમની કથા આ પ્રમાણે છે – કાકદી નામે નગરી છે. એ નગરી દેવકુરુ ભૂમિની પિઠે અહિંદજણાધિષિત છે એટલે જેમ દેવગુરુ ભૂમિમાં અણિંદે કેઈ ઇદ્ર નથી, રાજા નથી, શ્રદ્ધાજને સ્વતંત્રપણે તેમાં રહે છે તેમ આ નગરીમાં અહિંદ-અનિંદનીય જને વસે છે. વળી, એ નગરી ઇદ્રની રાજધાનીની સુલેહરામા રમણીય છે એટલે જેમ ઇદ્રની રાજધાની સુલેહરામા-સારી સારી અપ્સરાઓને લીધે રમણીય છે તેમ આ નગરી પણ સુલેહરામા-સારી સારી ભાગ્ય રેખાવાળી શમા– ઝીઓથી રમણીય છે. એ નગરીમાં હૈહયકુળની કમળવેલને ખીલવવા માટે અસાધારણ સૂર્ય જે નરવીર નામે એક રાજ છે. "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy