SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઈદ્રિયોને જય કરો અને જય ન કરવો એ વિશે સુયશ શેઠ અને તેના પુત્રનું કથાનક ( ૩૦ ). પુરુષમાં ઉપર કહેલા બધા ગુણો હોય છતાં ય તે ઇદ્રિ ઉપર વિજય ન નિકો મેળવી શકે તો તેના બધા ગુણે નિષ્ફળ નીવડે છે માટે પુરુષે ઇંદ્રિયે ક્ષક નિરી; ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. તેથી હવે ઇન્દ્રિયેના જયથી થતા લાભ અને અજયથી થતી હાનિઓ વિશે અહીં કહેવાનું છે. ઇદ્ર એટલે જીવ. ઇંદ્રના જ સાધને તે ઇંદ્રિય કહેવાય છે અને તે પાંચ છે. કાન, આંખ, નાક, જીભ અને ત્વચા–ચામડી. વેણું, વાંસળી, વિષ્ણુ અને ગીત વગેરેના જુદી જુદી જાતના શબ્દો સાંભળીને કાન અમેદ પામે છે. સુંદર સુંદર રૂપને જોવાથી આંખ સુખ મેળવે છે. ઉત્તમ સુગંધવાળા માલતી વગેરેના ગંધ દ્વારા નાક તૃપ્તિ પામે છે. જીભ સરસ ભેજન અને સરસ પીણાં વગેરેને ખાઈ અને પીને આનંદ મેળવે છે. ત્વચા–ચામડી કે મળ સુંવાળાં આસન વગેરેને નિરંતર ઉપભોગ કરવાથી તેમના સ્પર્શ દ્વારા સુખમાં મસ્ત રહે છે. આ પ્રકારે એ પાંચે ઇઢિયે દરેકને વિષય જુદે જુદો સમજવાનું છે. એ પાંચ પૈકી એક એક જ ઇન્દ્રિય જીવેને નાશ કરી નાખવા સમર્થ છે. જેને મારી નાખવા સમર્થ છે એ હકીકત શાસ્ત્રમાં જણાવેલી છે અને એ જ હકીકત નજરે પણ આ પ્રમાણે જોઈ શકાય છે. ગીતના શબ્દમાં આસક્ત થયેલા હરણે મૃત્યુ પામે છે, દીવાની જ્યોતમાં તેના રૂપને લીધે આકૃષ્ટ થયેલા પતંગ તેમાં પડીને બળીને ખાખ થઈ જાય છે. ફૂલેની ગંધમાં મસ્ત બનેલા સર્ષો નાશ પામે છે. લેઢાના કાંટા ઉપર ચડી રાખેલા લેટના સ્વાદમાં મસ્ત બનેલાં માછલાં મરછીમારને હાથે નાશ પામે છે અને હાથણીના સ્પર્શનું સુખ મેળવવા દેડતા હાથીઓ ખાડામાં પડીને પિતાને જીવ જુએ છે. એ રીતે એ હરણ વગેરે પ્રાણીઓ એક એક ઇન્દ્રિયના એક એક વિષયમાં આસક્ત થતાં નાશ પામે છે તે પછી જે એક જ પુરૂષ પાંચ ઇન્દ્રિયને - પાંચે વિષયોમાં એક સાથે આસક્ત થયેલ છે તેને નાશ કેમ ન થાય? જે લેકે ઇદ્રિના વિષયેને મેળવવા માટે આકુળવ્યાકુળ થઈ જાય છે તેઓ પરિણામે થોડું પણ સુખ ન મેળવતાં રણમાં રખડ્યા કરે છે, દરિયે તરવાનું દુઃખ ભેગવે છે અને કૂવામાં પડવું વગેરે અનેક કષ્ટોને પામે છે. તથા તેમને બીજા પણ અનેક દુઃખો નજરે જેવા પડે છે અને લાંબા સમય સુધી તેઓ દુર્ગતિમાં જાય છે. અથવા ઇદ્રિના વિષયને લીધે અપરાધી બનેલાઓને કયો અનર્થ જે પડતો નથી? એવા ઈઢિયાધીન લેકે સ્વર્ગ જતા નથી અને વિશેષ ભયાનક વિડંબણાઓને પામે છે તેનું કારણ એ તોફાની ઈદ્રિયોના ભયંકર ચેનચાળા જ છે એમ સમજવું. જે સારી રીતે શાસ્ત્રને ભણે હોય તેનું તે ભણતર, "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy