SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ : કથાન–કાશ : ચારે શિષ્યની આચરણ સંબંધી વિજય મુનિવરની ગંભીરતા શિર છેદવા આવી જ સમજ. આ સાંભળીને ભારે કરુણને લીધે એ સાધુ પિતાનું ધ્યાન વીસરી ગયા અને “હા હા” એમ કહેતાંક તેનું મન ધ્યાનથી એકદમ ચલિત થઈ ગયું. હવે ત્રીજા સાધુને પણ ચલિત કરવા સારુ ભૂતએ ક્ષુદ્ર ઉપદ્રવે કરવા શરૂ કર્યા: કેવી રીતે ? કમળદળ જેવા લાંબા લચનેવાળી એક જુવાન સ્ત્રીની સાથે અમર્યાદ સુંદર અંગવાળે એક નવજુવાન બનાવ્યું. પછી એ બન્ને એક બીજા પરસ્પર હાવભાવ કરતાં, ચેનચાળા કરતાં, નખરાંબાઇ કરતાં રતિસુખને અનુભવતા હોય એ દેખાવ કર્યો. એ બન્ને જણે પરસ્પર એવી રીતે ક્રીડા કરવા લાગ્યાં કે જેને જોવાથી મુનિઓનાં મન પણ ચળી જ જાય. આ જોઈને તે સાધુ પણ તેવા પ્રકારની રતિક્રીડાને જાણે કે જેતે નથી જ એ રીતે વર્તત પોતાના ચિત્તને ચળવા દીધા વિના જ સવિશેષ ધ્યાનની શ્રેણિ ઉપર ચઢવા લાગે. હવે જે ચેલે સાધુ મસાણમાં જઈ ધ્યાન ધરતો હતો તેને પણ ચલિત કરવા માટે એ જ ઉપદ્રવ થયે. ચણોઠી જેવી લાલચોળ આંખવાળે, જંગલી હાથીની સૂંઢ જે લાંબે, ભયંકર ફેણનો ફેલાવો કરવાથી એની સામે પણ ન જોઈ શકાય એ એક મેટે સર્ષ સાધુ પાસે આવ્યું અને તે પગથી ચડી માથા સુધી ચડ્યો, પછી પાછો કાખ અને ખભાની ટોચે ઉપર ફર્યો. હવે પેલા ધ્યાનમાં રહેલા સાધુને તેના શરીર ઉપરના ભાગોમાં વારંવાર ફરતા એવા ભયંકર મહાભેરિંગના તાછ કમલિનીના નાળ જેવા ઠંડા શરીરને સ્પર્શ થયે, એ સ્પર્શ થતાં જ પેલા ધ્યાનસ્થ સાધુના પેમેરામ બેઠા થઈ ગયા અને તેનું મન ધ્યાનથી જરાક ચલિત થયું. પછી પેલે રિંગ પણ સાધુને કરડ્યા વિના જ ધીરેધીરે શરીર ઉપરથી ઉતરી ગયે. સૂર્ય ઊગ્યા પછી એ ચારે મુનિએ પણું કાઉસ્સગને પારીને પિતાના આચાર્ય પાસે ગયા. આચાર્ય અતિશય શ્રતજ્ઞાની હતા અને તેથી એ તે સાધુઓના સંબંધમાં બનેલી બધી હકીક્ત જાણતા હતા છતાં ય તેમણે કઈ પણ સાધુને દેષ પ્રગટ કર્યા સિવાય તેમની બધાની સાથે સારી રીતે વાતચિત કરી. જેથી જેઓ બીજા ધ્યાન કરવામાં સ્થિર મનવાળા છે એમની ધ્યાનપ્રવૃત્તિમાં વિશેષ પ્રેત્સાહન મળે, વિશેષ વિચરતા થાય અને જેમનામાંથી ધ્યાન કરવાની શરમ ચાલી ગઈ છે એવા બીજા સાધુઓનું મન ધ્યાન માટે વિશેષ દૃઢપણે ઉદ્યમશીલ થાય. તે આચાર્યો એ ચારમાંથી જે બે સાધુઓ ચલિત નહીં થયેલા હતા તેમનાં લોકે સમક્ષ સ્પષ્ટપણે વખાણ કર્યા હતા અને જે બે સાધુઓ ચલિત થઈ ગયા હતા તેમને સ્પષ્ટ શબ્દોમાં ઘણુ લેકેની સામે ઠપકે આ હેત તે બે સાધુઓને ઉત્કર્ષ થાત અને બીજા બે સાધુના મનમાં સંતાપ થાત. વિવેકવાળા સાધુમંડળ માટે એ બન્ને પ્રકારનું વર્તન અનુચિત હતું. જેનામાં ગંભીરતા ન હોય તે આવા પ્રસંગે બેલ્યા વિના ખરેખર રહી જ ન શકે અને હર્ષ વા શેકના આવેગથી તણાઈ જઈ આ પ્રસંગે શું બોલવા જેવું છે "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy