SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ : ક્યારત્ન કે : * વિજય મુનિવરનું પટ્ટધરપણું વેશથી આદર સાથે ત્યાં આવી પહોંચ્યા અને ઠંડા ઠંડા ઉપચાર કરવા લાગ્યા તેથી તેની મૂચ્છી વળી ગઈ એટલે ફરી ફરીને રેતી માતાને તેને પુત્ર વિજય કહેવા લાગે હે માતાજી! મૂર્ખ માણસો કરે એવું તમે આ શું કરવા મંડ્યા છે? તમારો પુત્ર ઉત્તમ પુરુષે આચરેલા માર્ગ ઉપર ચડે તે શું તેમાં તમારું પણ કલ્યાણ નથી? માતા બેલીઃ તારું અને મારું બન્નેનું કલ્યાણ છે તેમ છતાં હું તારા વિયોગને લીધે એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. વિજ્ય બે માતાજી! મહામહના આ બધા ચાળા તછ ઘો, ગમે ત્યારે મરવાનું તે ચોક્કસ જ છે તો પછી એમાં મારા વિના ન રહી શકવાની અથવા મારા વિયોગ નહીં સહી શકવાની વાત ક્યાં રહી? વિયેગનું દુઃખ હોય તે પણ જગતમાં કઈ અજરામર તે નથી જ. પુરોહિત બે હે બ્રાહ્મણ ! સૂકાં વનમાં લાગે દાવાનળ અને દઢનિશ્ચયી પુરુષ એ બંનેને રેકી શકાતાં જ નથી. બ્રાહ્મણી બેલીઃ એમ છે તે આપણે બને પણ જે માગે પુત્ર જાય છે તે માર્ગને અનુસરીએ, છોકસ વિના ઘરમાં રહીને શું કરવાનું છે? પુરોહિતે પત્નીની એ વાત માની. ત્યારપછી એ ત્રણેએ અનુભૂતિ નામના ગણધર પાસે દીક્ષા લીધી. પુરોહિત અને બ્રાહ્મણ એ બન્ને જણાં કાળક્રમે અગિયાર અને ભણી શક્યાં અને વિજય સૂત્ર અને અર્થ સાથે ચોદે પૂને ભ. હવે સમય જતાં સર્વાનુભૂતિ ગણધર વિજયને આચાર્યપદે સ્થાપી, અનશન લઈ નિર્વાણ પામ્યા. વિજયસૂરિ પણ ભારે ગુણવંત હતા, તેઓ ગાંભીર્ય વગેરે અનેક ગુણ રત્નના ભંડાર સમા હતા, ભવ્ય ની રક્ષા માટે નિરંતર ધર્મકથાના પ્રબંધ કર્યા કરતા હતા, સાધુવને એમણે સંયમની પ્રવૃત્તિમાં સજજ કર્યો હતો અને એ રીતે તેઓ અપ્રતિબંધભાવે અબાધાપણે પૃથ્વી ઉપરનાં ગામે, નગેરે વગેરેમાં વિહાર કરતા હતા. વળી બીજુ,– જે ગરછમાં પાંચસે સાધુઓ હોય તે ગચ્છમાં કઈ સ્વભાવે કોધી પણ હોય, કેઈ વળી અવિનયી પણ હોય, વળી કેઈ લુચ્ચે--કપટી પણ હોય, વળી કોઈ અહંકારી પણ હોય, કેઈ લોભાવિષ્ટ પણ હોય, વળી કઈ સમિતિ ગુપ્તિ ક્રિયાઓમાં ખલિત થઈને પ્રમાદ પણ કરતા હોય. તેમ છતાં ગચ્છને આચાર્ય, સમુદ્ર જેમ પિતામાં દુખ મગરે વગેરે ક્લચરોના કુળને સંઘરી રાખે છે તેમ એવા એવા મુનિઓને પણ પિતાના ગંભીરભાવથી સંઘરી રાખે છે અને તેમના તરફ જરા પણ દુર્ભાવ ન બતાવતાં તેમને સહર્ષ સાચવે છે. એવાં ગંભીર ગચ્છાચાર્યનું મહાત્માનું મન બૃહસ્પતિ પણ જાણી શક્તા નથી અર્થાત્ એ આચાર્ય સભય છે કે અભય, સુખી છે કે દુઃખી, તુષ્ટ છે કે રુણ એવું કઈ કળી શકતું જ નથી. એ પ્રમાણે તે આચાર્ય, બાળ અને વૃદ્ધ શિષ્યથી ભરેલા પોતાના ગાણુ, ગરછને સુત્રમાં કહેલા નિયમોવડે પાળી રહ્યા છે, તેને સારણું, ધારણ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy