SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ---- - - - - : કારત્ન-કોષ : દ્વમુનિની ભવાંતરમાં મૂકાવસ્થા. મુનિ ભારે વિજ્ય કરીને પિતાની પાસે આવેલું છે છતાં હૃદયમાં મત્સર ધરતા એ રુદ્રસૂરિએ તેનું થોડું પણ સન્માન ન કર્યું. જે કાર્ય સિદ્ધ થવાનો સંભવ જ ન હતું એવું કાર્ય પણ સિદ્ધ કરીને આવતા અને શરમાતા શિષ્યને તેના ઉપર રાજી થઈને ગુરુએ તેનું સારી રીતે જાહેરમાં સન્માન કરવું જોઈએ, પ્રશંસન કરવું જોઈએ અર્થાત્ હવે ગુરુ મારો ઉચિત આદર કરશે એમ વિચારતે તે બંધુદત્ત મુનિ પિતામાં લેશ પણ આદર ન થયેલે જઈ ભારે શેક પાસે અને હવે પછી સદ્ગુણો કેળવવા તરફ મંદપ્રયત્નવાળો થઈ ગયો. જે સાધુ ચાતુર્માસિક તપ કરવામાં કુશળ હતો, તેણે તે વખતે ચાતુર્માસિક તપને સ્વીકારેલું હતું. તેની પાસે રાજા વગેરે મેટા મેટા લોકે આવજા કરતા અને તેથી લેકેમાં તેને પણ સવિશેષ સત્કાર થતું હતું. તે મુનિએ કઈ તદ્દન ન જાણે એ રીતે રહીને એટલે ઓળખાણ વગેરેને લેશમાત્ર પણ ઉપગ કર્યા વિના પ્રાંતકુલમાં ઉંછવૃત્તિ. દ્વારા એટલે પશુઓ ચણ ચણે છે એ વૃત્તિ દ્વારા કેઈને પણ પીડા આપ્યા વિના પારણું કર્યું. જ્યારે તે પારણું કરીને આચાર્યની પાસે આવ્યું ત્યારે આચાર્યો તેને વચન-માત્રથી પણુ આદર ન આપે. આ રીતે વખત જતાં, જેમને નાયક ગુણને આદર કરવા તરફ તદ્દન લક્ષ્ય વગરનો છે એ સાધુ સમુદાય ગુણ કેળવવાની પ્રવૃત્તિથી હતાશ થઈ ગયે અને સૂત્રાર્થનું પઠન, મનન વગેરે સાધુઓની સ્વાધ્યાય પ્રવૃત્તિઓ પણ દિનપ્રતિદિન તદ્દન ઓછી ઓછી થઈ ગઈ. ગુણે તરફ બેદરકાર વૃત્તિવાળા આચાર્ય સકમુનિ પણ કાળધર્મ પામીને કિબિષક નામના હીન દેવામાં અવતાર પામ્યું અને ત્યાંથી કાળધર્મ પામીને કેઈક દરિદ્ર, દુઃખી અને હીન કુલમાં કેઈ બ્રાહ્મણને ઘરે તેના પુત્રપણે અવતર્યો. વખત જતાં તે બાળ અવસ્થા પૂરી કરી ચૅવન અવસ્થાને પામે. ગુણે તરફ બેદરકારભાવ રાખવાથી, ગુણેને આદરભાવ કે સત્કાર સન્માન ન કરવાથી તેણે જે દુષ્કર્મ બાંધેલું એ હજી બાકી હોવાથી આ બ્રાહ્મણના પુત્રના અવતારમાં એની જીભ જ બંધાઈ ગઈ-સીવાઈ ગઈએ મૂંગો જ થઈ ગએ. જેમ મૂંગો માણસ બડબડે એ રીતે બડબડવા લાગે અને એ દેવને લીધે એને વૈરાગ્ય પણ છે કે હા! મેં પૂર્વભવમાં શા પાપ કર્યો હશે ? કે જેને લઈને મારી આ માઠી દશા આવી. એ પ્રમાણે તેને પિતાને પૂર્વવૃત્તાંત જાણવાની ઈચ્છા થઈ આવી અને એ જિજ્ઞાસાને શાંત કરવા તે બધાય ધર્મવાળાઓની ઉપાસના કરવા લાગ્યો. એવામાં કઈક સમયે ત્યાં ચાર જ્ઞાનના ધારક એવા મુધર્મ નામના આચાર્ય આવી "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy