SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ પ્રભાકરને રાજા બનાવવાનું કાવત્રુ. : ક્યારન-કેષ : પૂછયું કે આ નગરમાં એ કે પુરુષ છે જે રૂપમાં, સ્વભાવમાં, બાલવા ચાલવામાં અને એમ બીજી બધી રીતે બરાબર મારી સરખો જ હોય. પ્રધાનએ બરાબર નક્કી વિચારીને રાજાને કહ્યું હે દેવ ! શખ નામના પુરોહિતને પુત્ર પ્રભાકર બરાબર તમારી સરખે છે, તમારામાં અને એ પ્રભાકરમાં કશે જ. ભેદ જણાતું નથી અને એ સિવાય બીજો કોઈ તમારી જે આપણા નગરમાં નથી એવું અમને લાગે છે. પછી રાજાએ એ હકીકતની ખાત્રી કરવા સારુ એ પ્રભાકરને જ પિતાના કપડાં ઘરેણું રે પહેરાવીને અને બીજે પણ પિોષાક બરાબર પિતાની જે જ સજાવીને તથા પિતાના નેકર, હજૂરિયાઓ અને બીજા ચાકરો તેને સાથે આવી એ બનાવટી રાજા પ્રભાકરને અંતઃપુરમાં એક અંતઃપુરમાં આવેલે પ્રભાકર તદ્દન રાજાની સરખો જ જાવાથી અંતઃપુરમાં રહેનારી રાણુઓ અને દાસીઓએ જાણ્યું કે ચક્કસ રાજાજી જ પધાર્યા છે અને એમ ધારીને રાજાને માન આપવા માટે તે બધી ઊભી થઈ ગઈ અને એ અંત:પુરમાં રહેનારી દાસીઓએ એ બનાવટી રાજા પ્રભાકર માટે માન સહિત આસન વગેરે આણી આપ્યાં. એ પ્રભાકર તો (ત્યાં કશું જ) ઇચ્છતો નહોતો તેથી તે ક્ષણવાર બેસીને તરત જ ત્યાંથી પાછા ફર્યો. પોતે પહેરેલા વેષ વગેરે રાજાને પાછું સંપી દઈ તે પ્રભાકર પિતાને ઘરે ગયે. પછી થોડીક વારમાં જ રાજા પિતે અંતઃપુરમાં પહોંચે અને અંતઃપુરમાં રહેનારી રાણીઓએ તથા દાસીઓએ પૂર્વની પ્રમાણે જ રાજાને આદરસત્કાર કર્યો અને તેઓએ રાજાને પૂછયું: હે દેવ ! તમે પોતે હમણાં જ થોડીક વાર પહેલાં અંતપુરમાં પધારેલા છતાં કેમ કશું જ બોલ્યા નહીં ? કશે હુકમ પણ કર્યો નહીં? રાજાએ પોતાની મુખાકૃતિને ભાવ છુપાવીને કહ્યું કે એ વખતે મારું મન વિક્ષેપવાળું હતું તેથી તમારી સાથે હું કાંઈ બોલી શક્યો નહીં તેમ તમને કાંઈ કામ પણ ચીંધી શક્યા નહીં. આ પ્રમાણે પેલા પ્રભાકરને બરાબર પિતાની સરખે જ જાણીને અને અંતઃપુરમાં રહેનારી બાઈઓ સાથે ચેડીક વાર વાતચિત કરીને ત્યાંથી પાછા ફરી, રાજ સભાભવનમાં ગ. શબ પુરોહિતને બોલાવ્યો અને તેને સુખાસનમાં બેસારી તેની સાથે આદરપૂર્વક વાતચિત કરી અને કહ્યું કે–આજે રાત્રે મને સ્વપ્ન આવ્યું છે અને તેમાં મેં ઘણા સેગન આપીને તારા પુત્ર પ્રભાકરને મારું રાજ આપી દીધું. મારે આ મારું સ્વપ્ન ખરું પાડવું છે એથી હું તારા પુત્રને મારું રાજ ખરેખરી રીતે આપવા ઈચ્છું છું અને એ રીતે મારા સ્વપ્નને સાચું કરવાને છું. શંખ બોલ્યા: આવી જાતના બનાવો એટલે સ્વનિને સારું કરી બનાવવાના બનાવો તે કથાઓમાં પણ કયાંય સાંભળ્યા નથી તે એમ શા માટે કરવા ઈચ્છે છે? રાજા છે. એમાં અયુક્ત શું છે? જેમને આપણે આપણા ગુરુજન માનતા હોઈએ તેમને સર્વસ્વનું સમર્પણ કરવું એ તે ઉચિત જ છે. આ સાંભળીને વિસ્મય પામેલે શંખ બેડ જેવી આપની આજ્ઞા. હવે સમય ગુમાવ્યા સિવાય, પ્રધાને, મંત્રીઓ, શેઠિયાઓ અને સેનાપતિઓ વગેરેની "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy