SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ * કયારત્ન-કોશ : વિચિકિત્સાનું સ્વરૂપ અને તે ઉપર ગંગ વસુમતીની કથા. ગંગ નામને એક પુત્ર છે અને વસુમતી નામની એક પુત્રી છે. શેઠે તે બન્નેને ઉચિત બહોતેર અને ચેસઠ કલાકલાપને ભણાવ્યા. યૌવન પામ્યા પછી તે બન્નેને એગ્ય કુલેમાં વિવાહ પણ કરી નાખે. હવે કોઈ દિવસે રતિગ્રહમાં-સૂવાના ઓરડામાં સુતેલા ગંગની સ્ત્રીને ભચાનક ઝેરવાળા સાપે ડંખ માર્યો. ઝેર ઉતારનારા મંત્રવાદીઓને ભેગા કર્યા અને ઝેરને શમાવી દેવાના ઉપાય શરુ કર્યા. એ મંત્રવાદીઓએ જાણ્યું કે આને તે ભયંકર કાળો નાગ ડસી ગયે છે એથી એનું ઝેર ઊતરી શકે એમ નથી તેથી તેમણે તેને ઉપાય કરવે છોડી દીધો. હવે “એ મરી ગઈ છે” એમ જાણીને મસાણમાં લઈ ગયા, ચેહે ખડકી, ચેહ ઉપર મડદું ચડાવ્યું એટલામાં કયાંયથી એકાએક કોઈ અવ્યક્તલિંગી–અજેનષધારી પુરુષ તે સ્થળે આવી પહોંચે. એ, શરીરની કાંતિ ઉપરથી જીવન મરણનું ભાવી વગેરેને કળી શકતું હતું. તેણે એ મડદાની કાંતિ જોતાં જ કહ્યું કે–અહો! આ બાઈ જીવતી છે છતાં તેણીને ચિતા ઉપર ચડાવી છે એ મહાપાપ છે. તેનું વચન સાંભળીને મનમાં વિસ્મય પામેલા લોકોએ બને હાથ જોડીને તેને કહ્યું: હે મહાયશસ્વી પુરુષ! તું કાંઈ વિશેષ જ્ઞાન ધરાવતો હે તે કૃપા કર અને આને જીવતદાન દે. તે બેભેટ મારી પાસે ચમત્કારિક વિદ્યા છે પરંતુ આને જીવાડવાના બદલામાં તમારી પાસે હું જે માગીશ તે તમે આપી નહીં શકે. લેકે બેલ્યા તું જે માગીશ તે ગમે તેવું દુર્લભ હશે તે પણ અમે આપીશું, એ બાબત વિકલ્પ કરવાની જરૂર નથી. તે પુરુષ બે એમ છે તે આ સ્ત્રીને જ મને આપી દ્યો જેથી એણને જીવતી કરી દઉં. “આ બિચારી ગમે તે પ્રકારે જીવતી રહેતી હોય તે સારું” એમ ધારીને ઇચ્છા નહીં છતાં પણ લકોએ પેલા પુરુષની વાત કબૂલ રાખી એટલે આ બાઈને એને આપી દેવાનું સ્વીકાર્યું. પછી એ પુરુષે અમુક પ્રકારની લીલા સાથે માત્ર હુંકાર કર્યો એટલામાં તે એનું બધું ઝેર ઉતરી ગયું અને એ આળસ મરડતી જાણે કે સુતેલી જાગતી ન હોય એ રીતે ઊભી થઈ ગઈ. મંત્રવાદીએ એ આઈનિ કબજે લીધે. વિસ્મય સાથે લોકો જતા રહ્યા અને એ, તે બાઈને લઈને પિતાને ઈચ્છિત સ્થાને ગયેા. લોકે વિલખા પડી ગયા અને દુઃખી થતા પિતા પોતાને ઘરે ગયા. આ બધું જાણીને ગંગને ઘણે ક્રોધ ચડ્યો છતાં એ ઉપકારી છે” એમ સમજીને નેહપૂર્વક એણે પેલા મંત્રવાદીને કહ્યું કે હે મહાપુરુષ! ગુસ્સો ન આણીશ, તને કાંઈક કહેવાનું છે: જે ધીર પુરુષે પોતાના જીવિતને પણ ભેગ આપીને પોપકાર માટે ઉદ્યમવંત હોય છે તેમને તે બદલ કેઈ બહારના પદાર્થો આપવા તે ઘણું જ ઓછું કહેવાય. જે માણસ એક તણખલાના બે ટુકડા પણ કરી શકતા નથી એ અસમર્થ હોય તે શું કરી શકવાને છે? અને જે માણસ શક્ત-સમર્થ છે છતાં પરોપકારની અવગણના કરે છે "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy