SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ SilyHMITHIL - કાંક્ષાના દુષ્પરિણામ વિષેનું વર્ણન અને તેના ઉપર નાગદત્તનું ત્રીજું કથાનક, SS | સ મકિત મેળવ્યા પછી એમાં અશંકાભાવ રાખવા છતાંય જે મનમાં કાંક્ષા Huma3 દોષ જાગે તે એ દોષ સમકિતના સ્વરૂપને નાશ કરે છે. આપણે જેના B વચનમાં અશંકભાવે સમકિત-નિશ્ચલ શ્રદ્ધાની પ્રાપ્તિ કરી હોય તેના Giulia ઉપરાંત બીજા બીજા મતવાળાનાં વચનને પણ સત્ય માનવા તેનું નામ કાંક્ષાદેષ. આ કાંક્ષા પણ બે પ્રકારની છે. દેશ કક્ષા અને સર્વ કાંક્ષા. પોતે જે એક દર્શન– મત-ધર્મ-અશંકભાવે સ્વીકાર્યો હોય તે ઉપરાંત બીજ પણ કેઈ એક મતને ભવ્ય–સારે સમજો એટલે પિોતે જૈનમતને અશંકભાવે સ્વીકાર્યો હોય છતાં એમ માનવું કે કપિલ વગેરે જે દાર્શનિકે થઈ ગયા છે તેમાંનાં ગમે તે એકનું દર્શન પણ ભવ્ય છે એમ માનવાની વૃત્તિનું નામ દેશ કાંક્ષા. જગતમાં પ્રવર્તતા તમામ મતોમાં દાન, અધ્યયન વગેરે અનેક સારા સારા ભાવે કહેવામાં આવેલા છે માટે જગતના એ તમામ બીજા બીજા મતો પણ સારા છે જેના મતમાં દાન વગેરેની જે હકીકતે વર્ણવેલી છે તે બધી હકીકત સંસારના બીજા બીજ મતેમાં પણ જૈન મતની પેઠે જ વર્ણવેલી છે માટે એ બધા મતે પણું સારા છે. એમ માનવાની વૃત્તિનું નામ સર્વકાંક્ષા. જે મતને–જે દર્શનને અશંકપણે સ્વીકાર્યું હોય તે આવી બે વિકઃપવાળી વૃત્તિ રાખે તે યોગ્ય નથી. જેના મતને અશંકભાવે માન્યા પછી બીજું કે બીજા પણ દર્શનો ખરાં છે એવી બે વિકલ્પવાળી વૃત્તિ ન રાખવી જોઈએ. કોઈ પણ માણસ જ્યાં સુધી કુમાર્ગનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે કોઈ પણ સમયે સુમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકતો નથી માટે એક જ સુમાર્ગમાં જ મનને સ્થિર રાખવું જોઇએ. જે પ્રવાસી મનુષ્ય અનેક માર્ગો તરફ પ્રયાણ કરતા હોય છે તે કદી પણ તેણે ઈચ્છેલા સ્થાને પહોંચી જ શકતે નથી. કોઈ માનવ ઝેરમાં પણ અમૃતની કલ્પના કરે તેથી તે ઝેર અમૃતનું કામ સારતું નથી. જે પુરુષ, યુક્ત શું છે? એને ખરો સારરૂપ વિચાર કરી શકતા નથી તેઓ અહિત માર્ગને ત્યાગ કરીને હિત માર્ગ ઉપર ચડી પિતાનું હિત સાધવા માટે શકિતમાન થતું નથી, તેથી કરીને બીજા બોજા કુતીર્થિ. કેના વર્ગો બતાવેલા માર્ગને સર્વથા ત્યાગ કરીને શ્રી સર્વજ્ઞ ભગવાને આચરેલા, ઉપદેશેલાં કાર્યમાં જ કાંક્ષા-ઇચ્છા રાખવી. જે જે કાર્યો શ્રી સર્વજ્ઞ ભગવાને કરેલાં છે તેવાં જ કાર્યો આપણે પણ કરવા જોઈએ એવી જે કાંક્ષા ઈચછા રાખવી એ જ વિશેષ ઉચિત છે. વર્તમાન જીવનમાં પણ છે જે કાર્યો કરવાના છે તે વિશે પણ પિકખકંખા-પ્રેક્ષ્યકાંક્ષા એટલે જે જે પદાર્થ નજરમાં આવે તે બધાની ઈચ્છા રાખવાની વૃત્તિ અસંખ્ય દુઃખોને ઉપજાવનારી છે, એવી વૃત્તિને લીધે વિવશ મનવાળે મનુષ્ય નાગત નામના ગૃહસ્થની પેઠે દુઃખી થઈ જાય છે. એ નાગદત્તની કથા આચાર્ય મહારાજ જણાવે છે. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy