SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ : કથારત્ન કેશ : જિનેશ્વરના વચનમાં અનુપમ શ્રદ્ધા રાખવી. ૩૦ સાર–આ પણ વ્યવહારના કામકાજમાં પણ શંકાશીલ વૃત્તિને લીધે આપણે ખરેખર સર્વત્ર અસફળતા જ પામીએ છીએ તે પછી શ્રી જિનેશ્વર ભગવાને કહેલાં તો તરફ શંકાશીલ વૃત્તિ રાખવાથી આપણે બધાં કલ્યાણ કાર્યો હણાઈ જાય છે. સરહના શાહ અંધકારના પુંજથી ચાહ પામેલા છો, આ સંસારમાં તેમને પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્નને પણ “એ હેલું છે” એમ સમજીને તજી દે છે. પરમગુરુના મુખથી કહેવામાં આવેલાં ત તરફ જે અન્ય સત્ત્વવાળો અને કલુષિત બુદ્ધિવાળો પ્રાણું વ્યામોહ વૃત્તિ દાખવે છે તે, આ જગતમાં, જેમ કોઈ તરસથી પીડા પામેલે પ્રા નિર્મળ પાણીથી ભરેલી તળાવડીને છેડીને ઝાંઝવાના જળના તળાવ તરફ દોડ્યા કરે અને દુઃખી થાય તેમ દુઃખી થાય છે. રાગ અને મોહવૃત્તિને લીધે માનવ ખોટું બોલે છે, શ્રી જિનેશ્વરદેવમાં રાગ અને મોહવૃત્તિ સર્વથા ક્ષીણ થયેલી હોવાથી તેમને લેશ પણ ખોટું કહેવાનું કારણ નથી છતાંય જે તુચ્છ વૃત્તિવાળે માનવી એમના વચનામાં અસત્યતાની શંકા રાખે તે આગમાંથી અમૃતના જળ જેવી શીતળતા પ્રગટે એવું વાંછનાર કઈ મૂહની જે મહામૂઢ છે. કોઈ રોગી, આમ એવા વૈદ્યને જાણ્યા પછી પણ તેના વચનમાં શંકા રાખે તો તે એ વૈદ્યની દવા નિરંતર લીધા છતાંય કદી પણ નિરોગી થઈ શકતે નથી માટે સર્વજ્ઞનાં તમામ વચને એક એક વચને તરફ અશંકાભાવે એવી રીતે રહેવું જોઈએ કે કદી પણ ચિત્તમાં સંશયને મેલ સ્પર્શ જ ન થવા દેવું. કદાચ સૂરજ આથમણી દિશાએ પશ્ચિમમાં પણ ઊથે, સિદ્ધના જીવ સિદ્ધશિલાને પણ કદાચ તજી દે તે પણ શ્રી જિનવરનું વચન કદી ય મિથ્યા થતું નથી એવી અડગ શ્રદ્ધા રાખવી જોઈએ. એ પ્રમાણે શ્રી કથા રત્નકેશમાં સમ્યક્ત્વના અતિચાર શંકાષ વિશે ધનદેવનું બીજું કથાનક સમાપ્ત. E .: "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy