SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શંકાશીલ વૃત્તિથી ધનદેવનું દુઃખી થવું. : કથાન-કેશ: - ~ ~- ~-~-~~-~~ ~ ------~ ~ ~ દીઠો. “ હવે આ માણસ કંગાળ થઈ ગયો છે,” એમ સમજીને તેના માણસોએ તેને તજી દીધો અને “આ બાવરે છે” એમ સમજીને ત્યાંના બીજા લોકોએ તેને ફિટકાર આપે. હવે એ ધનદેવ પિતાને નભાવ કરવાને અસમર્થ બન્યું અને તે પોતાના બાપના ઘર ભણી જવા લાગ્યો. રસ્તામાં તે ભૂખથી હેરાન થયા એટલે એ કેઈ એક ત્યાં આવેલા નેસડામાં ભીખ માગવા સારુ ફરવા લાગ્યું. “આને આકાર સુંદર છે” એમ ધારીને તેના ઉપર દયા આણું કેાઈ એક ગૃહિણીએ તેને આદર સાથે ખાવાનું આપ્યું. ખાઈપીને, ભૂખ તરસને શાંત કરીને એ ત્યાંથી બહાર નીકળે એટલામાં તેના મનમાં શંકા થઈ આવી કે–પેલી બાઈએ મને અતિશય આદરથી ખાવાનું આપેલું છે એથી એમ જણાય છે કે તેણીએ મારા ઉપર કાંઈ કામણુટુંમણુ કરવા માટે એ ખાવાનું કેમ આપેલું ન હોય? એ ભેજન કામણ વગેરેના ષવાળું હોય. આવી જાતની ઉગ્ર શંકા થવાથી તેને પેટની પીડા ઉપડી અને એ મહાકટે એક નગરમાં પહોંચ્યા. ત્યાં વૈદનું ઘર પૂછીને વદની પાસે ગ. પિતાને પેટપીડ ઊપડી આવી છે એ વાત વૈદને તેણે કહી સંભળાવી. વેદે તેને પિટના શોધન માટે ઔષધ આપ્યું. પછી ગંગાના પ્રવાહની પેઠે તેનું પેટ છૂટી પડયું, તેને અતિશય ઝાડા થઈ ગયા. તેના ઉપર દયા આવવાથી વૈદે ફરીને ઓસડ આપીને સારવાર કરી તેને સાજો કર્યો. પછી શંકાનો વિચાર છેડે થોડો તજી દઈને એ, પિતાના બાપના ગામ તરફ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં કેટલાક સમય પછી તે પિતાને ઘેર પહોંચે. એના પહોંચતાં પહેલાં જ એના પરિવારના માણસો એના પિતા પાસે આવીને એની બધી હકીકત સંભળાવી ગયેલા એટલે પિતાએ બધું પોતાના પુત્ર વિષે અગાઉથી જ જાણ લીધેલું તેથી જ્યારે એ ઘેર આવ્યા ત્યારે તેના પિતાએ તેની ગ્ય સારવાર કરી. બીજે કઈ એક દિવસે એ શેઠને મહા દીકરા સંવર આવ્યાની વધામણી આવી. શેઠ તેની સામે ગયે. લગભગ એક ગાઉ જેટલે છેટે ગયા પછી શેઠે બળદના ગળાની ઘૂઘરમાળ અવાજ સાંભળે અને પછી થોડી જ વારમાં અનેક ઊંટ, બળદ, ખચ્ચર, ગાડાં અને જવાન–પુરુષ બેસી શકે એવાં પુરુષપ્રમાણ વાહન–મ્યાન વગેરેની ઉત્તમ સામગ્રી સહિત અને અનેક ચોકીદારો સાથે શેઠનો પુત્ર ત્યાં આવી પહો . એ ત્યાં જ પોતાના પિતાના પગમાં નમી પડ્યો. એની આ બધી સામગ્રી અને ઠાઠમાઠ જોઈને જ શેઠ સમજી ગયા કે–આ મારે પુત્ર સારી રીતે ઘણું ધન કમાઈ આવેલ છે. એણે નગરમાં પ્રવેશ કર્યો. વધામણાં થયાં, સારી તિથિ અને સારું મૂહુર્ત જોઈને એ આવેલા બીજા પુત્રને શેઠે પિતાના ઘરનો સ્વામી બનાવ્યો. પિતાની ગાદીએ બેસાડ્યો. અને પેલા ધનદેવ નામના છોકરાને નેકરે કરે એવાં કામકાજમાં જોડ્યો, ને પિતાના મનમાં રહેલી શંકાશીલ વૃત્તિને લીધે હમેશાં દુઃખને ભાગી થયા. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy