SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ * કારત્નકેશ ધનદેવની શંકાશીલ વૃત્તિથી તેના ગુહનું દગ્ધ થઈ જવું. ૮ આલિંગન કરવાની ઉત્કંઠા જેમના મનમાં વધવા લાગી છે એવા પ્રવાસી વાંઢા કે ચંચળ અને ઉગવાળા થવા લાગ્યા, સ્થાને સ્થાને-ઠેક ઠેકાણે-ધર્મ માટે રાખેલી તાપની સગીઓની આસપાસ રાંક લોકો ટોળું મળીને તાપી વીસામે કરતા હતા, તે હવે ઘરના આંગણામાં જઈને બેસવા લાગ્યા. ટાને લીધે પિતાના અંગ ઉપર પાકા તેલમાં કાલવેલા ઘટ્ટ કેન્સરના અંગરાગને ચેપડી શોભાયમાન બનેલા પુરજને ઘરના છજાંની વચ્ચે દિનને છેડે સંખ્યા વખતે આંટા મારવા લાગ્યા અને ખીલતા કુંદની સુગંધીઓને લીધે મનોહર લાગતા એવા વનના વાયરાઓ ચાલવા લાગ્યા, આ જાતનો કડકડતે શિયાળો ચાલતો હતો ત્યારે એક વાર પેલા ધનદેવ પોતાના પરિવારના માણસો નિર્દોષ હોવા છતાં તેમના ઉપર રેષા પણ કરીને વારંવાર શંકા કરતે હતો અને બહાર જવાનું હોય ત્યારે ઘરનાં બન્ને બારણું સજજડ રીતે બરાબર બંધ કરીને, તાળું દઈને કુંચી હાથમાં રાખીને કરતા હતા. એ રીતે તે શેરીના આગલા જ ભાગમાં રહેલી પંચની સગડી પાસે શિયાળાની ટાઢથી કંપતા શરીરને તપાવવા એક વાર વિશિષ્ટ માણસને ગોકીમાં બેઠો હતો ત્યારે એક ભારે કાળાહળ થશે. “આ શું આ શું ?” એમ કરતા ત્યાં સગડી પાસે બેઠેલા બીજા બધા માણસો હી ગયા અને ઊઠીને તેઓ જે દિશામાંથી એ ઘંઘાટને અવાજ આવતો હતો તે દિશા તરફ જેવા લાગ્યા. તે ત્યાં ઊંચે ચડતે, પારેવાની ડોક જે ભૂખરો જાણે કે આકાશમાં મેઘ ન ચડ્યો હોય એવી શંકાથી ત્યાં ભેગા થઈ ગયેલા લેકે વાંકું શરીર અને ઊંચી ડોક કરીને જેની સામે જેતા હતા એ ઘટ્ટ ધૂમાડે તેમણે દીઠો. “આ કોનું ઘર બળે છે?” એવી શંકાથી જેમનાં મન ભેદાઈ ગયેલાં છે, હૈયા ત્રાસી ઊડ્યાં છે એવા લેકે ત્યાં ઊભેલા છે તેમને જોઈને એક માણસ બે કે-આ ધનદેવનું એ ઘર બળી રહ્યું છે. એ સાંભળીને લોકોએ તેને તરત જ પોતાના બળતા ઘર તરફ જવાની સૂચના કર્યા છતાં એ શંકાશીલ વૃત્તિને ધનદેવ પિતાના સળગતા ઘર તરફ જતા નથી ને ઊલટું એમ કહેવા લાગ્યો કે મારા ઘરમાં આગ લાગવાને સંભવ નથી, કિંતુ પડતા હિમની ઠંડીને લીધે અતિશય ઠંડી બનેલી વાત હવાથી થરથરતા એવા પ્રવાસી લોકેએ સગળાવેલા ઘાસના પુંજની આગમાંથી ધૂમાડો નીકળે છે, એ કદાચ આ દેખાતે ધૂમાડે હશે માટે શા માટે આકળા થાઓ છે ? પિતપોતાનાં સ્થાન ઉપર બેસી રહે. એવી વાત કરે છે એટલામાં આમતેમ જોતાં હાંફળાંફાંફળાં બનેલા એ ધનદેવના પિતાનાં જ માણસે ત્યાં આવી પહોંચ્યા અને કહેવા લાગ્યાં કે-હે ધનદેવ! આમ કેમ સ્થિર બેઠેલે છે ? તે નથી કે નીચેથી ટોચ સુધીમાં મોટા મોટા તણખાઓના ફેલાવાથી ભયંકર બનેલે અને લાકડાંને બાળવાથી લાંબી ટોચવાળે થયેલે આ અગ્નિ તારું ઘર બાળી રહ્યો છે? આ સાંભળીને તે ઊભું થયે અને બળીને ખાખ થઈ ગયેલા પિતાને ઘરે જઈ પહે, ત્યાં તેણે ઘરને બધે સદર ભાગ બની ગયે "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy